નવી દિલ્હી: ભાજપના અધ્યક્ષ અમિત શાહને સ્વાઇન ફ્લૂની સારવાર બાદ રવિવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. એમ્સના એક અધિકારીએ જણાવ્યું કે અમિત શાહને આજે સવારે એમ્સમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમિત શાહને આ સપ્તાહે બુધવારના રોજ સ્વાઇન ફ્લૂની બીમારી થતાં દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.


અમિત શાહે ટ્વિટ કરી જણાવ્યું કે, ઇશ્વરની કૃપાથી હવે હું સંપૂર્ણ સ્વસ્થ છું અને આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ પોતાના આવાસ પર આવી ગયો છું. મારા સ્વાસ્થ્ય લાભ માટે તમે વધાએ કરેલી શુભકામનાઓ માટે આભારી છું.

આ પહેલા ભાજપના નેતા અનિલ ટ્વીટ કરીને જણાવ્યું કે અમારા બધા માટે આજે હર્ષનો વિષય છે કે અમારા યશસ્વી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહજી આજે સંપૂર્ણપણે સ્વસ્થ થઇ AIIMSમાંથી ડિસ્ચાર્જ થઇ પોતાના ઘરે આવી ગયા છે.