CM ફડણવીસને 30 નવેમ્બર સુધી બહુમત સાબિત કરવો પડશે, અજિત પવાર બન્યા નાયબ મુખ્યમંત્રી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસે વહેલી સવારે શપથ લઈ લીધાં હતાં. જ્યારે એનસીપીના અજીત પવારે ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં.
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 23 Nov 2019 12:50 PM

બ્રેકગ્રાઉન્ડ
મુંબઈ: છેલ્લા કેટલાંય દિવસોથી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને રાજકારણ ગરમાયું હતું. મહારાષ્ટ્રમાં બીજેપીએ અજીત પવાર સાથે મળીને સરકાર બનાવી લીધી છે. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે એકવાર ફરી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા...More
મુંબઈ: છેલ્લા કેટલાંય દિવસોથી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને રાજકારણ ગરમાયું હતું. મહારાષ્ટ્રમાં બીજેપીએ અજીત પવાર સાથે મળીને સરકાર બનાવી લીધી છે. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે એકવાર ફરી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે એનસીપીના પ્રમુખ શરદ પવારના ભત્રીજા અજીત પવારે રાજ્યના ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. બન્ને નેતાઓ આજે સવારે 8 વાગે શપથ લેવડાવવામાં આવ્યા હતાં.સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, NCP છોડીને અજીત પવારે ભાજપનો હાથ પકડી લીધો છે. એનસીપીના ઘણાં નેતાઓ ભાજપ સાથે છે. આ ઉપરાંત ભાજપે દાવો કર્યો છે કે, અમે વિધાનસભાના ફ્લોર પર ભાજપ અને અજીત પવાર સાથે મળીને બહુમત સાબિત કરીશું.શપથ લીધા બાદ અજીત પવારે કહ્યું હતું કે, તમે જોયું હશે કે મહારાષ્ટ્રમાં 24 તારીખે ચૂંટણીના પરિણામ આવી ગયા હતા જોકે કોઈ પણ પક્ષ સરકાર બનાવી શક્યું નહતું. મહારાષ્ટ્રની જનતા અને ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન કરવા માટે અમે આ નિર્ણય લીધો અને સરકાર બનાવી.મહારાષ્ટ્રમાં ભાજપે સરકાર બનાવી દીધી છે. દેવેન્દ્ર ફડનવીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર માન્યો હતો. નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 105 બેઠકો મળી હતી જ્યારે એનસીપીને 54 બેઠકો મળી હતી.
કેન્દ્રિય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, મને લાગે છે કે અગાઉથી એ નક્કી હતું કે અમારી પાર્ટી, ભાજપ અને એનસીપીની સરકાર બનવી જોઇએ. તમામને વિશ્વાસ હતો કે એનસીપી અને ભાજપ સાથે આવશે. અમિત શાહ બોલી રહ્યા હતા કે બધુ સારું થઇ જશે અને સારુ થઇ ગયું. શિવસેનાને ભાજપે પાઠ ભણાવ્યો છે. અઠાવલેએ કહ્યું કે, કેન્દ્રમાં એનસીપીને મંત્રી પદ મળી શકે છે. સુપ્રિયા સુલે કેન્દ્રમાં મંત્રી બની શકે છે.