કાળા જાદુનું અસ્તિત્વ દુનિયામાં આજથી નહીં, સદીઓથી છે. ઇતિહાસમાં પણ આપણને એવી ઘણી ઘટનાઓ મળે છે, જેમાં કાળા જાદુનો ઉલ્લેખ છે. જોકે, કાળા જાદુને કારણે આજના સમયમાં કોઈનો જીવ જાય તો એ સમાજ માટે ચિંતાનો વિષય છે.


ખરેખર, તાજેતરમાં યુપીના હાથરસથી એક એવી ઘટના સામે આવી છે, જેમાં કાળા જાદુને કારણે એક 11 વર્ષના બાળકનું મૃત્યુ થયું. ચાલો આપને એના વિશે વિસ્તારથી જણાવીએ. આની સાથે જ આપને એ પણ જણાવીએ કે આખરે દેશમાં કાળા જાદુ અથવા જાદુ ટોણા ને કારણે કેટલા લોકો પોતાનો જીવ ગુમાવે છે.


હાથરસની ઘટના


DWના એક રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં યુપીના હાથરસની DL પબ્લિક સ્કૂલમાં એક 11 વર્ષના બાળકનો મૃતદેહ સ્કૂલ મેનેજરની કારમાં મળ્યો. પોલીસે બાળકની હત્યાના આરોપમાં સ્કૂલ મેનેજર દિનેશ બઘેલ અને તેના પિતા યશોદન સહિત પાંચ લોકોની ધરપકડ કરી. હવે આ કેસમાં એ વાત સામે આવી રહી છે કે સ્કૂલ મેનેજરનો પિતા યશોદન તાંત્રિક ક્રિયા કરતો હતો અને તેણે સ્કૂલની પ્રગતિ અને દેવામાંથી મુક્તિ મેળવવા માટે બાળકની બલિ આપવાનો નિર્ણય લીધો હતો.


માનવ બલિ પર NCRBના આંકડા


ચાલો હવે આપને જણાવીએ કે આખરે આખા દેશમાં એવા કેટલા કિસ્સાઓ છે જેમાં જાદુ ટોણા ને કારણે માનવ બલિ અપાઈ. રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના આંકડાઓ અનુસાર, વર્ષ 2022માં દેશમાં માનવ બલિના કુલ 8 કિસ્સાઓ સામે આવ્યા હતા. જો વર્ષ 2014થી 2022ના આંકડાઓ પર નજર નાખીએ તો આ સંખ્યા 111 સુધી પહોંચી જાય છે. આ તો એ સંખ્યા થઈ જેમાં માનવ બલિ અપાઈ. પરંતુ, ઘણા કિસ્સાઓ એવા પણ હોય છે જેમાં જાદુ ટોણાની શંકામાં લોકોને મારી નાખવામાં આવે છે. ચાલો હવે એ કિસ્સાઓ પર એક નજર કરીએ.


NCRBના આંકડાઓ જણાવે છે કે વર્ષ 2022માં 85 લોકોનો જીવ જાદુ ટોણા ને કારણે ગયો હતો. જ્યારે, વર્ષ 2021માં આ સંખ્યા 68 હતી. DWના રિપોર્ટ અનુસાર, વર્ષ 2013થી 2022 સુધી જાદુ ટોણા ને કારણે કુલ 1064 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ કિસ્સાઓમાં સૌથી મોટી સંખ્યા એ મહિલાઓની છે જેમને ડાકણ કહીને મારી નાખવામાં આવી. આપને જણાવી દઈએ કે છત્તીસગઢ, ઓડિશા, મધ્ય પ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યોમાં મહિલાઓને ડાકણ કહીને મારી નાખવાની ઘટનાઓ સૌથી વધારે જોવા મળી.


આ પણ વાંચોઃ


જુલાઈમાં ખબર પડી કે ઘી અશુદ્ધ છે તો મંદિર સુધી કેમ પહોંચવા દીધું? પૂછીને ઊલટા ફસાયા કપિલ સિબ્બલ