આ ચેટમાં લખ્યું હતું કે, ‘સર્વશક્તિમાન અલ્લાહની કૃપા અને સહાયથી જૈશ-ઉલ-હિંદના સૈનિકો દિલ્હીના ઉચ્ચ સુરક્ષા ક્ષેત્રમાં ઘુસણખોરી કરીને આઈઈડી હુમલો કરી આવ્યા છે. ભારતના મોટા શહેરોને નિશાન બનાવવાની આ હુમલાની શરૂઆત છે. તે ભારત સરકાર દ્વારા થતા અત્યાચારનો બદલો લેશે.
દિલ્લીમાં 8 વર્ષ બાદ બ્લાસ્ટ
દિલ્લીમાં 8 વર્ષ બાદ મોટો બ્લાસ્ટ થયો છે. વર્ષ 2012માં 13 ફેબ્રુઆરીએ બ્લાસ્ટ થયો હતો. ત્યારે પણ ઇઝરાયલી રાજદ્રારીને નિશાન બનાવવામાં આવ્યાં હતા. બ્લાસ્ટમાં દુત્તાવાસના કર્મચારી સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તે પહેલા 7 સપ્ટેમ્બર 2011માં દિલ્લી હાઇકોર્ટ બહાર બ્લાસ્ટ થયો હતો. જેમાં 11 લોકોના મોત થયા હતા તો 80 લોકો ઘાયલ થયા હતા.