બોલિવૂડના દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પહેલી ડેથ એનિવર્સી પહેલા રિયા ચક્રવર્તીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. 'આ પોસ્ટમાં તેણે લખ્યું છે કે, મોટા દુ:ખો અને આઘાત શક્તિ પણ આપે છે. આપણે બસ ભરોસો કરવો પડશે. લવરિયા' ઉલ્લેખનિય છે કે, 14 જૂન 2020એ સુશાંત તેમના એપાર્ટમેન્ટમાં મૃત અવસ્થામાં મળ્યો હતો. 


બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પર તેમના પ્રશંસકો માટે પ્રેરણાના કેટલાક શબ્દ શેર કર્યાં છે. રિયાએ ઇન્સ્ટાગ્રામ પર પર પ્રેમ અને દુ:ખની તાકત વિશે વાત કરી છે. આપને બસ ભરોસો કરવો પડશે. અહીં આપને થોડું રોકાવવું પડશે. લવ રિયા. રિયાનની આ પોસ્ટ પર કેટલાક સેલેબ્સ અને તેના ફેન્સે પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. 



અભિનેતા સુશાંત સિંહનું ગત વર્ષે મૃત્યુ થઇ ગયું હતું. તેઓ 14 જૂને તેમના એપાર્ટમેન્ટ મૃત હાલતમાં મળી આવ્યાં હતા. તેમના અચાનક મૃત્યુથી સુશાંતના પિતા કેકેસિંહે આત્મહત્યા માટે મજબુર કરવાનો આરોપ લગાવતા રિયા વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. રિયા પર મની લોન્ડ્ગિ સહિતના અનેક આરોપ લગાવ્યાં હતા. આ મુદ્દે એનસીબીએ પૂછપરછ કરી હતી. 


રિયાને સપ્ટેમ્બર 2020એ જેલ જવું પડ્યું હતું
તપાસ અધિકારીઓને રિયા અને તેના ભાઇ શોભિક ચક્રવર્તીએ પૂછપરછ કરી હતી. સપ્ટેમ્બરમાં રિયા અને તેના ભાઇની ડ્રગ્સ મામલે ધરપકડ કરાઇ હતી. રિયાએ મુંબઇની જેલમાં એક મહિનો વિતાવ્યો હતો. રિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે, તે સુશાંતને કેટલો પ્રેમ કરતી હતી. સુશાંત બાદ રિયા પણ સોશિયલ મીડિયાથી દૂર રહેતી હતી. આ વર્ષની શરૂઆતમાં રિયાને કામ માટે બહાર જતાં સ્પોટ કરાઇ હતી. ઉલ્લેખનિય છે કે, 14 જૂન 2020એ સુશાંત તેમના એપાર્ટમેન્ટમાં મૃત અવસ્થામાં મળ્યો હતો. તેમની આ પહેલી ડેથ એનેવર્સરી પહેલા રિયાએ ઇમોશનલ પોસ્ટ લખી છે. તેમની આ પોસ્ટ પર અન્ય સેલેબ્સ અને તેમના ફેન્સે પ્રતિક્રિયા આપી છે.