Bombay High Court News: બોમ્બે હાઈકોર્ટે રેલવે મુસાફરોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. વાસ્તવમાં, હાઈકોર્ટે કહ્યું કે લોકલ ટ્રેન મુંબઈની લાઈફલાઈન છે, જો કોઈ યાત્રી ભીડભાડવાળી ટ્રેનમાં ચડતી વખતે પડીને ઈજાગ્રસ્ત થાય છે તો તે અપ્રિય ઘટનાના દાયરામાં આવશે અને તેની કિંમત રેલવેએ ચૂકવવી પડશે. આદેશ આપતી વખતે કોર્ટે કહ્યું કે પશ્ચિમ રેલવેને 75 વર્ષના એક વ્યક્તિને 3 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. હકીકતમાં, ભીડભાડવાળી લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, વૃદ્ધ પડી ગયો હતો અને તેના પગમાં ઈજા થઈ હતી.


રેલવેએ કહ્યું હતું કે પેસેન્જર ચાલતી ટ્રેનમાં ચડી રહ્યો હતો


આ મામલામાં દલીલ કરતાં પશ્ચિમ રેલ્વેએ હાઈકોર્ટને કહ્યું હતું કે આ બાબત કાયદાની કલમ 124 (A)ની જોગવાઈઓ હેઠળ આવતી નથી. રેલવેએ જણાવ્યું કે વૃદ્ધ વ્યક્તિ ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેના કારણે તે અકસ્માતનો શિકાર બન્યો હતો. તે રેલવે દ્વારા બનાવેલા નિયમોનું પાલન કરતો ન હતો. આ કારણોસર તેમને વળતર આપવું યોગ્ય નથી.


કોર્ટે રેલવેની દલીલ ફગાવી દીધી હતી


રેલવેની દલીલને ફગાવી દેતા હાઈકોર્ટે કહ્યું કે આ મામલો સંપૂર્ણપણે કાયદાની કલમ 124 (A)ની જોગવાઈઓ હેઠળ આવરી લેવામાં આવ્યો છે. આ કલમ હેઠળ કોઈપણ પીડિતને વળતર આપવાનું કહેવામાં આવ્યું છે. હાઈકોર્ટે કહ્યું કે ટ્રેનોમાં ભીડ હોવાને કારણે મુસાફરો ટ્રેનમાં ચડતી વખતે ધક્કામુકી કરે છે. આવી સ્થિતિમાં, જો કોઈ મુસાફર ટ્રેનમાંથી પડીને ઘાયલ થાય છે, તો તેને વળતર મળવું જોઈએ.


આ પણ વાંચોઃ 


Reliance Industries: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રચ્યો ઈતિહાસ, 19 લાખ કરોડ રૂપિયાનું બજારમૂલ્ય પાર કરનાર પ્રથમ ભારતીય કંપની બની


KV Class 1 Admission: કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ-1માં પ્રવેશ માટે લઘુત્તમ વય મર્યાદા બદલાઈ, જાણો નવી માર્ગદર્શિકા


કોરોનાના કહેરની વચ્ચે ચીનમાં માણસમાં H3N8 બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયો, 4 વર્ષનો બાળક સંક્રમિત