Breaking News LIVE: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું જનતાને સંબોધન કહ્યું - હું રાજીનામું આપવા તૈયાર પણ...

શિંદેએ કહ્યું કે મેં કોઈ પક્ષ વિરોધી પગલું નથી ભર્યું તો પછી મને ગ્રુપ લીડરના પદ પરથી કેમ દૂર કરવામાં આવ્યો.

gujarati.abplive.com Last Updated: 22 Jun 2022 05:58 PM
કોઈ શિવસૈનિક જ મુખ્યમંત્રી બનશે તો હું ખુશ

કોઈ શિવસૈનિક જ મુખ્યમંત્રી બનશે તો હું ખુશ થઈશઃ ઉદ્ધવ ઠાકરે

જો તમને મારાથી કોઈ તકલીફ હોય તો મારી સામે આવો

જો તમને મારાથી કોઈ તકલીફ હોય તો મારી સામે આવો, મારી સાથે ચર્ચા કરો. હું રાજીનામું આપવા માટે અને મુખ્યમંત્રી પદ છોડવા માટે તૈયાર છુંઃ ઉદ્ધવ ઠાકરે

બળવો કરનારા ધારાસભ્યો આવે

બળવો કરનારા ધારાસભ્યો આવે અને મારું રાજીનામું લઈ જાયઃ ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જનતાને સંબોધન કર્યું

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જનતાને સંબોધન કર્યું

નીતિન દેશમુખ નાગપુર એરપોર્ટ પહોંચ્યા

નીતિન દેશમુખનો મોટો દાવો. મને કોઈ અટેક નહોતો આવ્યો. રાતે રોડ પર ઊભો હતો. 100-150 પોલીસકર્મી મને હોસ્પિટલ લઈ ગયા. એવું બતાવાયું કે મને અટેક આવ્યો. 


 

મહારાષ્ટ્ર વિધાનસભાના ભંગ થવા તરફ - સંજય રાઉત

મહારાષ્ટ્રની રાજનીતિ પર મોટું નિવેદન આપતા સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભા ભંગ થવાની દિશામાં છે.


 





MVA આજે મુંબઈમાં મંથન

ઉદ્ધવ સરકાર પર તોળાઈ રહેલા જોખમને ધ્યાનમાં રાખીને, MVA ના ઘટકો એક્શનમાં આવ્યા છે. મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક બપોરે લગભગ એક વાગ્યાની આસપાસ યોજાવા જઈ રહી છે. સાથે જ એનસીપી ચીફ શરદ પવાર પણ ઉદ્ધવ ઠાકરેને મળશે. આ સિવાય શરદ પવારે આજે NCP ધારાસભ્યોની બેઠક પણ બોલાવી છે. આ સાથે મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક પણ યોજાવા જઈ રહી છે.

MVA આજે મુંબઈમાં મંથન

ઉદ્ધવ સરકાર પર તોળાઈ રહેલા જોખમને ધ્યાનમાં રાખીને, MVA ના ઘટકો એક્શનમાં આવ્યા છે. મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક બપોરે લગભગ એક વાગ્યાની આસપાસ યોજાવા જઈ રહી છે. સાથે જ એનસીપી ચીફ શરદ પવાર પણ ઉદ્ધવ ઠાકરેને મળશે. આ સિવાય શરદ પવારે આજે NCP ધારાસભ્યોની બેઠક પણ બોલાવી છે. આ સાથે મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક પણ યોજાવા જઈ રહી છે.

રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી હોસ્પિટલમાં દાખલ

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી મંગળવાર-બુધવારની મધ્યરાત્રિએ કોરોના સંક્રમિત થયા હતા. મોડી રાત્રે તેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

અમારી સાથે 40 ધારાસભ્યો છે - એકનાથ શિંદે

સુરતથી ગુવાહાટી પહોંચેલા એકનાથ શિંદેએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, અમારી સાથે 40 ધારાસભ્યો છે.

એકનાથ શિંદે દાવો કરે છે કે તેમની પાસે 40 ધારાસભ્યો છે

શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સુરતથી ગુવાહાટી પહોંચ્યા છે. આ દરમિયાન એકનાથ શિંદેએ મીડિયા સાથે વાત કરતા દાવો કર્યો કે, અમારી સાથે 40 ધારાસભ્યો છે. આ દરમિયાન ઘણા ધારાસભ્યો વિજય ચિહ્ન બતાવતા જોવા મળ્યા, જ્યારે ઘણાએ હાથ જોડી દીધા.





બ્રેકગ્રાઉન્ડ

Breaking News LIVE 22th June updates: મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે રાજ્ય સરકારના મંત્રી એકનાથ શિંદેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી. બંને વચ્ચે લગભગ 15 મિનિટ વાત થઈ. બંને વચ્ચેની વાતચીત શિવસેનાના નેતા મિલિંદ નાર્વેકરના ફોન પર થઈ હતી, જેઓ સુરતની એક હોટલમાં એકનાથ શિંદે અને બળવાખોર ધારાસભ્યોને મળવા ગયા હતા. આ દરમિયાન એકનાથ શિંદેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે ઘણી માંગણીઓ મૂકી. એકનાથ શિંદેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને શિવસેના અને ભાજપ સાથે મળીને સરકાર બનાવવાનું કહ્યું હતું.


શિંદેએ કહ્યું કે મેં કોઈ પક્ષ વિરોધી પગલું નથી ભર્યું તો પછી મને ગ્રુપ લીડરના પદ પરથી કેમ દૂર કરવામાં આવ્યો. શિવસેના છોડવાનો મારો કોઈ વિચાર નથી, હું બાળાસાહેબ ઠાકરેનો સાચો શિવસૈનિક હતો અને રહીશ. એકનાથ શિંદેએ પણ શિવસેનાના નેતા સંજય રાઉત અંગે પોતાની ફરિયાદ નોંધાવી હતી. રાઉતે મીડિયામાં કહ્યું હતું કે તમારે વાત કરવી હોય તો મુંબઈ આવો. શિવસેના કોઈપણ પ્રસ્તાવ પર વાત નહીં કરે. શિંદેએ કહ્યું કે સવારથી સંજય રાઉત સાથે ત્રણથી ચાર મીટિંગ કરી છે. વ્યક્તિઓ અલગ-અલગ વાત કરે છે અને મીડિયામાં આવ્યા પછી અલગ બોલે છે, આવું કેમ?


રાષ્ટ્રપતિપદની ચૂંટણી


ભારતીય જનતા પાર્ટી (BJP) એ NDA વતી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી છે. પાર્ટીએ દ્રૌપદી મુર્મુને પોતાના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. આ પહેલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર મંથન કરવા માટે ભાજપના સંસદીય બોર્ડની બેઠક પાર્ટીના મુખ્યાલયમાં મળી હતી.


આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને સંસદીય બોર્ડના અન્ય સભ્યો હાજર રહ્યા હતા. બેઠક.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.