Breaking News LIVE: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું જનતાને સંબોધન કહ્યું - હું રાજીનામું આપવા તૈયાર પણ...
શિંદેએ કહ્યું કે મેં કોઈ પક્ષ વિરોધી પગલું નથી ભર્યું તો પછી મને ગ્રુપ લીડરના પદ પરથી કેમ દૂર કરવામાં આવ્યો.
gujarati.abplive.com Last Updated: 22 Jun 2022 05:58 PM
બ્રેકગ્રાઉન્ડ
Breaking News LIVE 22th June updates: મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે રાજ્ય સરકારના મંત્રી એકનાથ શિંદેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી. બંને વચ્ચે લગભગ 15 મિનિટ વાત થઈ....More
Breaking News LIVE 22th June updates: મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે રાજ્ય સરકારના મંત્રી એકનાથ શિંદેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી. બંને વચ્ચે લગભગ 15 મિનિટ વાત થઈ. બંને વચ્ચેની વાતચીત શિવસેનાના નેતા મિલિંદ નાર્વેકરના ફોન પર થઈ હતી, જેઓ સુરતની એક હોટલમાં એકનાથ શિંદે અને બળવાખોર ધારાસભ્યોને મળવા ગયા હતા. આ દરમિયાન એકનાથ શિંદેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે ઘણી માંગણીઓ મૂકી. એકનાથ શિંદેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને શિવસેના અને ભાજપ સાથે મળીને સરકાર બનાવવાનું કહ્યું હતું.શિંદેએ કહ્યું કે મેં કોઈ પક્ષ વિરોધી પગલું નથી ભર્યું તો પછી મને ગ્રુપ લીડરના પદ પરથી કેમ દૂર કરવામાં આવ્યો. શિવસેના છોડવાનો મારો કોઈ વિચાર નથી, હું બાળાસાહેબ ઠાકરેનો સાચો શિવસૈનિક હતો અને રહીશ. એકનાથ શિંદેએ પણ શિવસેનાના નેતા સંજય રાઉત અંગે પોતાની ફરિયાદ નોંધાવી હતી. રાઉતે મીડિયામાં કહ્યું હતું કે તમારે વાત કરવી હોય તો મુંબઈ આવો. શિવસેના કોઈપણ પ્રસ્તાવ પર વાત નહીં કરે. શિંદેએ કહ્યું કે સવારથી સંજય રાઉત સાથે ત્રણથી ચાર મીટિંગ કરી છે. વ્યક્તિઓ અલગ-અલગ વાત કરે છે અને મીડિયામાં આવ્યા પછી અલગ બોલે છે, આવું કેમ?રાષ્ટ્રપતિપદની ચૂંટણીભારતીય જનતા પાર્ટી (BJP) એ NDA વતી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી છે. પાર્ટીએ દ્રૌપદી મુર્મુને પોતાના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. આ પહેલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર મંથન કરવા માટે ભાજપના સંસદીય બોર્ડની બેઠક પાર્ટીના મુખ્યાલયમાં મળી હતી.આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને સંસદીય બોર્ડના અન્ય સભ્યો હાજર રહ્યા હતા. બેઠક.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોઈ શિવસૈનિક જ મુખ્યમંત્રી બનશે તો હું ખુશ
કોઈ શિવસૈનિક જ મુખ્યમંત્રી બનશે તો હું ખુશ થઈશઃ ઉદ્ધવ ઠાકરે