Breaking News Live: એક ક્લિકે જુઓ દેશ-દુનિયાના મહત્વના સમાચાર
Breaking News Live: યુપીમાં ચુરહટ-રીવા નેશનલ હાઈવે પર માર્ગ અકસ્માતમાં 15 મુસાફરોનાં મોત થયાં હતાં. જ્યારે 50 જેટલા લોકો ઘાયલ છે, તો બીજી તરફ રાજ્યના કોડીનાર અને રાજકોટમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે.
બ્રેકગ્રાઉન્ડ
Breaking News Live Update: મધ્યપ્રદેશના સિધીમાં ચુરહટ-રીવા નેશનલ હાઈવે પર બડખરા ગામ પાસે શુક્રવારે રાત્રે માર્ગ અકસ્માતમાં 15 મુસાફરોનાં મોત થયાં હતાં. જ્યારે 50 જેટલા લોકો ઘાયલ છે, તો બીજી...More
રાજ્યમાં ધીરે ધીરે ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે ત્યારે આજે સૌથી વધુ ગરમી ઉત્તર ગુજરાતમાં નોંધાશે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં બે ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થશે જેને લઈને ગરમી વર્તાશે. જોકે આજે ઉત્તર ગુજરાતમાં 37 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે જ્યારે અમદાવાદ 35 ડિગ્રી તાપમાન રહી શકે છે. અત્યારે રાજ્યમાં ઉત્તર પશ્ચિમી પવનના કારણે તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હાલ શિયાળો અંતિમ તબક્કામાં પહોંચ્યો છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાવાને કારણે તાપમાનમાં ફેરફાર જોવા મળશે. 24 કલાક બાદ તાપમાનમાં વધારો થશે. 2થી 3 ડીગ્રી તાપમાન વધી જશે. જેના કારણે ગરમીમાં વધારો થશે. અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 27 ફેબ્રુઆરીના વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. 27 ફેબ્રુઆરીના ફરી 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટશે.