Breaking News Live: OBC અને 20 SC/ST સંગઠનો સ્વામી પ્રસાદ મૌર્યનું સન્માન કરશે, લખનઉના પરિવર્તન ચોકથી પદયાત્રા કાઢશે

રામચરિતમાનસના વિરોધીઓ અંગે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, રામચરિતમાનસનું અપમાન કરનારાઓએ ભારતમાં રહેવાની જરૂર નથી.

gujarati.abplive.com Last Updated: 31 Jan 2023 02:24 PM

બ્રેકગ્રાઉન્ડ

Breaking News Live Updates 31st January' 2023: આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે. સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના સેન્ટ્રલ હોલમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. ભાષણ બાદ...More

યુએઈના અલ મિન્હાદ જિલ્લાનું નામ બદલીને હવે હિંદ સિટી તરીકે ઓળખવામાં આવશે

સંયુક્ત આરબ અમીરાતના એક જિલ્લાનું નામ બદલવામાં આવ્યું છે. UAEના ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમે રવિવારે (29 જાન્યુઆરી) અલ મિન્હાદ જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોનું નામ બદલીને 'હિંદ સિટી' રાખ્યું. યુએઈની સત્તાવાર સમાચાર એજન્સી ડબલ્યુએએમએ મિન્હાદ જિલ્લાના નામ બદલવાની માહિતી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'હિંદ સિટી'નો વિસ્તાર 83.9 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. આ જગ્યા ઘણા મહત્વપૂર્ણ રસ્તાઓ દ્વારા જોડાયેલ છે.