નવી દિલ્હીઃ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં મોદી સરકાર-2નું પ્રથમ બજેટ રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે, મોદી સરકારનો ટાર્ગેટ, મજબૂત દેશ અને મજબૂત નાગરિક બનાવવાનો છે અને સરકારની તમામ નીતિઓ આ જ કામ કરી રહી છે.


બજેટમાં નિર્મલા સીતારમણે એનઆરઆઈ માટે મોટી જાહેરાત કરી છે. સરકારે જાહેરાત કરી કે હવે એનઆરઆઈ ભારત આવતા જ તેમને આધાર કાર્ડ આપવાની સુવિધા મળશે, સાથે જ હવે તેમને 180 દિવસ સુધી ભારતમાં રહેવાની જરૂરત નહીં રહે.