અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ટીબીએન રાધાકૃષ્ણન અને ન્યાયાધીશ અરિજીત બેનર્જીએ નવ દિશા-નિર્દેશો જાહેર કર્યા. કોર્ટે કહ્યું કે, જો પોસ્ટમોર્ટમની જરૂર નથી તો શબને પરિવારને સોંપવામાં આવે. આદેશમાં કહેવામાં આવ્યું કે, જો કોઈ પણ મૃતકના શરીર પર દાવો નથી કરવામાં આવતો તો સરકારે સન્માન સાથે તેના અંતિમ સંસ્કાર અથવા દફનવિધિ કરવી જોઈએ.
કોર્ટ એ પણ સ્પષ્ટ કર્યું કે, મૃતકોના પરિવાર શબને પોતાના ઘરે લઈ જઈ શકશે નહીં. હોસ્પિટલથી સીધા અંતિમસંસ્કાર માટે શ્મશાન ઘાટ અથવા કબ્રસ્તાન લઈ જવું પડશે. શબને બોડી બેગમાં રાખવું પડશે. ચહેરા પર બેગનો ભાગ પારદર્શી હોવો જોઈએ. જો સંભવ હોય તો મૃતદેહ લઈ જનારા લોકોને પીપીઈ કીટ, માસ્ક પહેરવું જોઈએ.
આ સિવાય કોર્ટે કહ્યું કે, ડેડબોડી બેગના મોંનો ભાગ સ્મશાન અથવા કબ્રસ્તાનમાં જઈને ખોલી શકાશે. જેથી પરિવાર મૃતકના અંતિમ દર્શન કરી શકે. જો કે, શબને સ્પર્શ કરવાની મંજૂરી મળશે નહીં. નથી. અંતિમ સંસ્કારમાં ધાર્મિક વિધિ પણ કરી શકાશે.