વિશ્વમાં કોરોના વાયરસ આવ્યે એક વર્ષથી પણ વધારે સમય થઈ ગોય છે પરંતુ હજુ સુધી તેના વિશે ચોક્કસ જાણકારીનો અભાવ છે. હજારોની સંખ્યામાં તેના પર રિસર્ચ થઈ રહ્યું છે. જોકે કોઈપણ ચોક્કસ જાણકારીના અભાવે કોઈ સ્પષ્ટ પરિણામ પર નથી પહોંચી શકાયું.


વિતેલા ઘણાં દિવસથી એ વાત પર ચર્ચા થઈ રહી છે કે શું મર્યાના 12 કલાક બાદ મૃત શરીરમાંથી કોરોના વાયરસ ફેલાઇ શકે છે ? હવે એઇમ્સના નિષ્ણાંત ડક્ટરે તેના પર પોતાનો મહત્ત્વપૂર્ણ મત આપ્યો છે. એમ્સમાં ફોરેન્સિક વિભાગના પ્રમુખ ડો. સુધીર ગુપ્તાએ કહ્યુ કે, કોરોના સંક્રમિત વ્યક્તિના મર્યાના 12થી 24 કલાક બાદ તેના નાક અથવા ગળામાંથી સંક્રમણ ફેલાવવાની આશંકા બિલકુલ પણ નથી. કારણ કે ત્યાં સુધી મૃત શરીરમાં વાયરસ સક્રિય ન રહી શકે.


એક વર્ષથી થઈ રહ્યું હતું રિસર્ચ


એઈમ્સમાં વિતેલા એક વર્ષમાં આ વિષય પર રિસર્ચ કરવામાં આવ્યું છે, ત્યાર બાદ ડોક્ટર આ પરિણામ પર આવ્યા છે. ડો. સુધીર ગુપ્તાએ જણાવ્યું કે, વિતેલા એક વર્ષ દમરિયાન કોરોના સંક્રમિત વ્યક્તિઓ મૃત શરીર પર એઈમ્સના ફોરેન્સિક વિભાગમાં રિસર્ચ કરવામાં આવ્યું છે. તેમાં પોસ્ટમોર્ટમ બાદ મળી આવેલ વાયરસ 12 કલાક બાદ નિષ્ક્રિય થઈ જાય છે.


નવી દિલ્લી સ્થિત અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાન(એમ્સ)ના ફોરેન્સ્કિ  નિષ્ણાતના અધ્યનમાં એક ખુલાસો થયો છે, કે દર્દીના મૃત્યુના 12થી 24 કલાક બાદ નાક કે મોંમાં સંક્રમણ નથી મળતું. આ અધ્યન માટે એમ્સના ડોક્ટરે 100 શબનું પરીક્ષણ કર્યું હતુ. જે તમામ 100 લોકોના મોત કોવિડના કારણે થયા હતા. મોત બાદ જ્યારે તેની બોડી તપાસ કરાઇ તો તેમાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો.


એમ્સ ફોરેન્સિક વિભાદધ્યક્ષ ડો. સુધીર કુમાર ગુપ્તાએ કહ્યું કે,  શબ દ્રારા કોરોના વાયરસ ફેલાઇ શકે કે નહી આ મુદ્દે તથ્યો જાણવા માટે પાયલટ અધ્યન કરવામાં આવ્યું.  આ અધ્યનનમાં જેનું કોરોનાથી મોત થયું હતો તેના નાક અને ગળાના સ્વેબ લેવામાં આવ્યો આ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યાં હતા. આ અધ્યનનનું તારણ છે કે, શબમાં કોરોના વાયરસ નથી હોતો.


જો કે મોતના થોડા કલાક બાદ શબમાંથી નીકળતા તરલીય પદાર્થને લઇને સાવધાન રહેવું જરૂરી છે. આ માટે ભારત સરકારે એમ્સના ફોરેન્સિક વિશેષજ્ઞોની સલાહ પર  દિશા નિર્દેશ બનાવવામાં આવ્યાં છે. આ અધ્યન એટલા માટે પણ જરૂરી છે કે, દિલ્લીમાં કોવિડથી મોત થતાં લોકો પરિજનનો શબને સ્માશાન ઘાટ પર છોડી જતાં રહેતા હતા અને કોઇ અસ્થિ લેવા પણ ન હતા આવતા. આ કારણે સ્મશાનમાં અસ્થિકુભનો પણ ભરાવો થતો જોવા મળ્યો હતો.


ડો. સુધીર ગુપ્તાએ કહ્યું કે, જો કોઇ વ્યક્તિનું કોરોના સંક્રમણથી મોત થઇ જાય તો તેના નાકમાં રૂમાં નાખીને મોટી પરત વાળી પોલિથીનમાં લપેટી દેવામાં આવે તો સંક્રમણનો ખતરો નથી રહેતો.