= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પીએમ મોદીએ કહ્યું - જે લોકો પણ વેક્સીનને લઈ આશંકાઓ પેદા કરી રહ્યા છે, ભાઈ-બહેનોના જીવન સાથે રમત રમી રહ્યા છે
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે સરકારે નિર્ણય કર્યો છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અન્ન યોજનાને હવે દિવાળી સુધી લંબાવવામાં આવશે. મહામારીના આ સમયમાં સરકાર ગરીબની દરેક જરુરીયાત સાથે,તેમના સાથી બની ઉભી છે. એટલે કે નવેમ્બર સુધી 80 કરોડથી વધુ લોકોને દર મહીને મફત અનાજ મળશે. તેમણે કહ્યું જે લોકો વેક્સીનને લઈ આશંકા પેદા કરી રહ્યા છે, અફવા ફેલાવી રહ્યા છે, તે ભાઈ-બહેનોના જીવન સાથે રમત રમી રહ્યા છે. અફવાઓથી સતર્ક રહેવાની જરુર છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના નવેમ્બર સુધી ચાલુ રહેશે
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના દિવાળી સુધી વધારવામાં આવી છે. ત્યારબાદ 80 કરોડ લોકોને પહેલાની જેમ મફત અનાજ મળતુ રહેશે. તેમણે કહ્યું કોઈપણ પરીવારને ભૂખ્યા નહી સુવુ પડે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દેશમાં બની રહેલી વેક્સીનમાંથી 25 ટકા, પ્રાઈવેટ સેક્ટરના હોસ્પિટલ સીધા લઈ શકશે. આ વ્યવસ્થા ચાલુ રહેશે-પીએમ
પીએમ મોદીએ કહ્યું કે દેશમાં બની રહેલી વેક્સીનમાંથી 25 ટકા પ્રાઈવેટ સેક્ટરના હોસ્પિટલ સીધા લઈ શકશે. આ વ્યવસ્થા ચાલુ રહેશે. પ્રાઈવેટ હોસ્પિટલ વેક્સીનની નિર્ધારિત કિંમત ઉપરાત એક ડોઝ પર વધુમાં વધુ 150 રૂપિયા જ સર્વિસ ચાર્જ લઈ શકશે. તેની દેખરેખનું કામ રાજ્ય સરકાર પાસે જ રહેશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પીએમ મોદીએ કહ્યું- દેશમાં કોઈપણ રાજ્ય સરકારે વેક્સીન પર કંઈપણ ખર્ચ નહી કરવો પડે
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દેશમાં કોઈપણ રાજ્ય સરકારે વેક્સીન માટે ખર્ચ નહી કરવો પડે. તેમણે કહ્યું અત્યાર સુધી દેશના કરોડો લોકોને મફત વેક્સીન મળી છે. હવે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો પણ તેમાં જોડાશે. તમામ દેશવાસીઓ માટે ભારત સરકાર મફત વેક્સીન ઉપલબ્ધ કરાવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાજ્યો સાથે જોડાયેલી વેક્સીનની જવાબદારી પણ કેંદ્ર સરકાર પોતાના હાથમાં લેશે પીએમ મોદીએ કહ્યું કે આજે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યો પાસે વેક્સીનેશન સાથે જોડાયેલુ જે 25 ટકા કામ હતુ, તેની જવાબદારી પણ ભારત સરકાર ઉઠાવશે. આ વ્યવસ્થા આવનારા 2 સપ્તાહમાં લાગૂ થશે. આ બે સપ્તાહમાં કેંદ્ર અને રાજ્ય સરકાર મળી નવી ગાઈડલાઈન અનુસાર આવશ્યક તૈયારી કરી લેશે. 21 જૂન સોમવારથી દેશના દરેક રાજ્યમાં 18 વર્ષથી ઉપરની ઉંમરના તમામ નાગરિકો માટે, ભારત સરકાર મફત વેક્સીન આપશે વેક્સીન નિર્માતાઓ કુલ 75 ટકા હિસ્સો ભારત સરકાર પોતે ખરીદી રાજ્ય સરકારને મફત આપશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પીએમ મોદીએ કહ્યું- વેકસીનમાં કેંદ્રની ભૂમિકા પર સવાલો ઉઠાવવામાં આવ્યા
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું દેશમાં ઘટતા કોરોના સંક્રમણ વચ્ચે, કેંદ્ર સરકાર સામે અલગ-અલગ સૂચનો પણ આવવા લાગ્યા, અલગ-અલગ માંગો થવા લાગી. પૂછવામાં આવ્યું, બધુ ભારત સરકાર કેમ નક્કી કરી રહી છે ? રાજ્ય સરકારેને છૂટ કેમ નથી આપવામાં આવી રહી ? રાજ્ય સરકારોને લોકડાઉનની છૂટ કેમ નથી મળી રહી ? One Size Does Not Fit All જેવી વાતો પણ કરવામાં આવી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પીએમ મોદીએ કહ્યું- આવનારા દિવસોમાં વેક્સીની સપ્લાઈ વધવાની છે પીએમ મોદીએ રાષ્ટ્રના નામે સંબોધન કરતા કહ્યું કે છેલ્લા ઘણા સમયથી દેશ સતત જે પ્રયાસ અને પરિશ્રમ કરી રહ્યો છે, તેનાથી આવનારા દિવસોમાં વેક્સીનની સપ્લાઈ વધવાની છે. આજે દેશમાં 7 કંપનીઓ,અલગ-અલગ પ્રકારની વેક્સીનનું પ્રોડક્શન કરી રહી છે. ત્રણ અન્ય વેક્સીનનું ટ્રાયલ પણ એડવાન્સ સ્ટેજમાં ચાલી રહ્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અત્યાર સુધીમાં વેક્સિનના 23 કરોડ ડોઝ આપવામાં આવ્યા.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આશંકાને સાઈડમાં કરી ભારતે 1 વર્ષની અંદર એક નહી પરંતુ બે મેડ ઈન ઈન્ડિયા વેક્સીન લોન્ચ કરી. તેમણે કહ્યું કે આપણા દેશના વૈજ્ઞાનિકો બતાવી દિધુ કે ભારત મોટા મોટા દેશો કરતા પાછળ નથી. આજે જ્યારે હુ તમારી સાથે વાત કરી રહ્યો છુ તો દેશમાં 23 કરોડથી વધારે લોકોને વેક્સીનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પીએમ મોદીએ કહ્યું- વેક્સીનની માંગની તુલનામાં બનાવનારી કંપનીઓ ખૂબ ઓછી
આજે સમગ્ર વિશ્વમાં વેક્સીનની જે માંગ છે, તેની તુલનામાં ઉત્પાદન કરનારા દેશ અને વેક્સીન બનાવનારી કંપનીઓ ખૂબ ઓછી છે. કલ્પના કરો કે હાલ આપણી પાસે ભારતમાં બનેલી વેક્સીન ન હોત તો આજે ભારત જેવા વિશાળ દેશમાં શું થાત. પ્રધાનમંત્રી મોદીએ આગળ કહ્યું કે તમે છેલ્લા 50-60 વર્ષની ઈતિહાસ જોઈ લો તો ખબર પડશે કે ભારતને વિદેશમાંથી વેક્સીન પ્રાપ્ત કરવામાં દાયકાઓ લાગી જતા હતા. વિદેશોમાં વેક્સીનનું કામ પૂર્ણ થઈ જતુ હતુ ત્યારે પણ આપણા દેશમાં વેક્સીનનું કામ શરુ નહોતું થઈ શકતું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભારતના ઈતિહાસમાં ક્યારેય આટલી માત્રામાં મેડિકલ ઓક્સીજનની જરુર નથી પડી-પીએમ મોદી પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બીજી લહેર દરમિયાન એપ્રિલ અને મે મહીનામાં ભારતમાં મેડિકલ ઓક્સીજનની માંગ અકલ્પનીય રૂીતે વધી ગઈ હતી. ભારતના ઈતિહાસમાં ક્યારેય આટલા મોટી માત્રામાં મેડિકલ ઓક્સીજનની જરૂર ક્યારેય નથી પડી. આ જરુરીયાતને પૂરી કરવા માટે યુદ્ધસ્તર પર કામ કરવામાં આવ્યું. સરકારના તમામ તંત્રો લાગ્યા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આ પ્રકારની મહામારી આધુનિક વિશ્વએ નથી જોઈ કે નથી અનુભવી-પીએમ મોદી
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે છેલ્લા 100 વર્ષોમાં આવેલી આ સૌથી મોટી મહામારી છે. આ પ્રકારની મહામારી આધુનિક વિશ્વએ નથી જોઈ કે નથી અનુભવી. આટલી મોટી વૈશ્વિક મહામારી સામે આપણો દેશ ઘણા મોર્ચે એક સાથે લડ્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પીએમ મોદીએ કહ્યું 100 વર્ષની સૌથી મોટી મહામારી પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કોરોના 100 વર્ષમાં સૌથી મોટી મહામારી છે. તેમણે કહ્યું કે ઘણા લોકોએ આ મહામારીને કાણે પોતાના નજીકના લોકોને ગુમાવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની લડાઈ ચાલુ છે. તેમણે કહ્યું આવી ત્રાસદી વિશ્વએ ક્યારેય નથી જોય.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનું રાષ્ટ્રને નામ સંબોધન શરુ
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનું રાષ્ટ્રને નામ સંબોધન શરુ થઈ ગયું છે. તેમણે કહ્યું કે ઘણા લોકોએ પોતાની નજીકના લોકોને ગુમાવ્યા છે. પીએમ મોદીએ કહ્યું મહામારીમાં દેશ એકજૂટ થઈ ને ઉભો રહ્યો.