મેરઠઃ ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદ પીએમ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ વારાણસીથી લોકસભા ચૂંટણી લડશે. પ્રિયંકા ગાંધીએ બુધવારે ચંદ્રશેખર ઉર્ફે રાવણની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. ચંદ્રશેખરની આચાર સંહિતાના ઉલ્લંઘન માટે ધરપકડ કરાઈ છે. તેની તબિયત ખરાબ થતાં તેને મેરઠ મોકલાયો હતો. પ્રિયંકાએ કહ્યું કે ચંદ્રશેખરનો જોશ તેમને પસંદ છે. રાવણે કહ્યું કે તેઓ મોદી સામે ચૂંટણી લડવા માગે છે. બસપા પણ તેમને સાથ આપશે.


મંગળવારે પોલીસે દેવબંદમાં તેની પદયાત્રા રોકી હતી. તબીયત બગડવા પર તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધી અને ચંદ્રશેખર બન્નેએ મુલાકાતને બિન રાજકીય ગણાવી હતી. ચંદ્રશેખર અનુસાર પ્રિયંકા ગાંધી હોસ્પિટલમાં તેમના હાલચાલ વિશે પૂછવા ગયા હતા. મુલાકાત બાદ ચંદ્રશેખરે કહ્યું હતું કે, પોતાના સંગઠનના કોઈ મજબૂત ઉમેદવારને ઉતારવાનો પ્રયત્ન કરશે અને જો ઉમેદવાર નહીં મળે તો તે ખુદ મોદી વિરૂદ્ધ ચૂંટણી લડશે.