મોદી સરકારની મોટી જીત, રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ

બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારત આવેલા ગેરકાયદે અપ્રવાસિયોને ભારતમાં નાગરિકતા આપવાની જોગવાઇ છે, પણ શરત એ કે તે મુસલમાન ના હોય. ખાસ વાત છે કે, આ બિલનો ફાયદો આ દેશોમાંથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ઇસાઇ અને પારસી સમુદાયના લાકોને મળશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 13 Dec 2019 06:39 PM


નાગરિકતા સંશોધન બિલ 2019 લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. રાજ્યસભામાં બિલના સમર્થનમાં 125 મત મળ્યા હતા જ્યારે બિલના વિરુદ્ધમાં 105 મત પડ્યા હતા. આ બિલને હવે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. જેમની મંજૂરી બાદ બિલ કાયદો બની જશે.


નાગરિકતા સંશોધન બિલ 2019 લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. રાજ્યસભામાં બિલના સમર્થનમાં 125 મત મળ્યા હતા જ્યારે બિલના વિરુદ્ધમાં 105 મત પડ્યા હતા. આ બિલને હવે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. જેમની મંજૂરી બાદ બિલ કાયદો બની જશે.
વડાપ્રધાન મોદીએ બિલ પાસ કરાવવા બદલ તમામ સાંસદોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે દેશના ઈતિહાસમાં આજનો દિવસ માઈલસ્ટોન ગણાશે. આ બિલ એ લોકોના દર્દને દુર કરશે જેમણે વર્ષો સુધી સહન કર્યું છે.
સોનિયા ગાંધીએ કહ્યું કે ભારતના સંકુચિત અને કટ્ટરતા ધરાવતા લોકોની જીત છે. તેમણે આજના દિવસને કાળો દિવસ ગણાવ્યો હતો.
નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાંથી પાસ થઇ ગયું છે. રાજ્યસભામાં બિલના સમર્થનમાં 125 મત મળ્યા હતા જ્યારે બિલના વિરુદ્ધમાં 105 મત પડ્યા હતા. આ અગાઉ લોકસભામાંથી પણ આ બિલ પસાર થયું હતું.
નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાંથી પાસ થઇ ગયું છે. રાજ્યસભામાં બિલના સમર્થનમાં 125 મત મળ્યા હતા જ્યારે બિલના વિરુદ્ધમાં 105 મત પડ્યા હતા. આ અગાઉ લોકસભામાંથી પણ આ બિલ પસાર થયું હતું.
નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાંથી પાસ થઇ ગયું છે. રાજ્યસભામાં બિલના સમર્થનમાં 125 મત મળ્યા હતા જ્યારે બિલના વિરુદ્ધમાં 105 મત પડ્યા હતા. આ અગાઉ લોકસભામાંથી પણ આ બિલ પસાર થયું હતું.

નાગરિકતા સંશોધન બિલ પર વિપક્ષના 14 સંશોધન પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવોમાંથી મોટાભાગના પ્રસ્તાવ નકારી દેવામાં આવ્યા છે. થોડીવારમાં આ બિલ પર ફાઇનલ વોટિંગ શરૂ થશે.

નાગરિકતા સંશોધન બિલ પર વિપક્ષના 14 સંશોધન પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવોમાંથી મોટાભાગના પ્રસ્તાવ નકારી દેવામાં આવ્યા છે. થોડીવારમાં આ બિલ પર ફાઇનલ વોટિંગ શરૂ થશે.

નાગરિકતા સંશોધન બિલ પર વિપક્ષના 14 સંશોધન પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવોમાંથી મોટાભાગના પ્રસ્તાવ નકારી દેવામાં આવ્યા છે. થોડીવારમાં આ બિલ પર ફાઇનલ વોટિંગ શરૂ થશે.
નાગરિકતા બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવાનો પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે. સિલેક્ટ કમિટીમાં નહી મોકલવાના પક્ષમાં 124 મત અને વિરોધમાં 99 મત પડ્યા હતા. શિવસેનાના સાંસદોએ વોકઆઉટ કર્યું હતું. શિવસેનાના સાંસદો મતદાનમાં ભાગ નહી લે.
ચર્ચા દરમિયાન શિવસેનાએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. શિવસેના સાંસદ સંજય રાઉતે ગુહ મંત્રી અમિત શાહ તરફ ઇશારો કરતા કહ્યું કે અમને દેશભક્તિના પાઠ ન ભણાવે, જે સ્કૂલમાં તમે ભણી રહ્યા છો તે સ્કૂલના અમે હેડ માસ્ટર છીએ.

બ્રેકગ્રાઉન્ડ

બિલમાં પાકિસ્તાન,  બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારત આવેલા ગેરકાયદે અપ્રવાસિયોને ભારતમાં નાગરિકતા આપવાની જોગવાઇ છે, પણ શરત એ કે તે મુસલમાન ના હોય. ખાસ વાત છે કે, આ બિલનો ફાયદો આ દેશોમાંથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ઇસાઇ અને પારસી સમુદાયના લાકોને મળશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.