Citizenship bill 2019 Protest: આસામ અને ત્રિપુરામાં હંગામો, ફ્લાઇટ બાદ રણજી ટ્રોફી મેચ પણ કરાઈ રદ
abpasmita.in | 12 Dec 2019 11:29 AM (IST)
પૂર્વોત્તરના રાજ્યો આસામ અને ત્રિપુરમાં નાગરિકતા સંશોધન બિલનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે.

નવી દિલ્હીઃ પૂર્વોત્તરના રાજ્યો આસામ અને ત્રિપુરમાં નાગરિકતા સંશોધન બિલનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. બંને રાજ્યોમાં આગચંપી અને હિંસાની ઘટના ચાલુ છે. આ દરમિયાના આસામના ડિબ્રૂગઢમાં કર્ફ્યુ લગાવી દેવાયો છે. ગુવાહાટીમાં પણ રાજ્ય સરકારે ગુરુવારે 7 વાગ્યા સુધી સંચારબંધી લગાવી દેવામાં આવી છે. આસામમાં સ્ટુડન્ટ યુનિયનોઓ પ્રદર્શન દરમિયાન ઘણી તોડફોડ કરી હતી. વિરોધ પ્રદર્શનના કારણે કોલકાતા (પશ્ચિમ બંગાળ)થી ડિબ્રૂગઢ સેક્ટર (આસામ) આવતી તમામ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે. વિસ્તાર, ઈન્ડિગો અને સ્પાઇસ જેટે આસામ જતી તમામ ફ્લાઇટ કેન્સલ કરી દીધી છે. આ ઉપરાંત આસામ અને ત્રિપુરામાં રમાઈ રહેલી રણજી ટ્રોફીની મેચ પણ રદ કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને શાંતીની અપીલ કરી છે. મોદીએ ટ્વિટ કરીને લખ્યું, આસામના ભાઈઓ-બહેનોને વિશ્વાસ અપાવું છું કે CAB પાસ થવાથી તમારા પર કોઈ અસર નહીં પડે, કોઈ તમારો હક નહીં છીનવી રહ્યું નથી. યુવરાજ સિંહની આ ઈનિંગ આજે પણ નથી ભૂલ્યા ક્રિકેટ પ્રેમીઓ, BCCIએ આ રીતે કર્યું બર્થ ડે વિશપાકિસ્તાનમાં આ વર્ષે ગૂગલ પર છવાયા વિંગ કમાન્ડર અભિનંદન, ટોપ-10માં બોલીવુડની એક અભિનેત્રી પણ સામેલકચ્છ, બનાસકાંઠાના વાતાવરણમાં આવ્યો પલટો, પાકમાં ઈયળના ઉપદ્રવની આશંકા