Mallikarjun Kharge On PM Modi: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું- મોદી એક ઝેરીલા સાપ જેવા છે. તમે તેને ઝેર માનો કે ન માનો, પણ તેનો ચાખશો તો મરી જશો. તમે વિચારતા હશો કે શું આ ખરેખર ઝેર છે? મોદી એક સારા વ્યક્તિ છે, તેમણે જે આપ્યું છે, તે અમે જોઈશું. જેવા તમે તેને ચાટશો, તમે સંપૂર્ણ રીતે સૂઈ જશો. ભાજપે તેમના નિવેદનની નિંદા કરી છે. જો કે, થોડા સમય બાદ આ નિવેદન પર વિવાદ થતા, તેમનો ખુલાસો પણ આવ્યો હતો. તેમણે કહ્યું- મેં તેમના (પીએમ મોદી) વિશે આવું નથી કહ્યું. હું અંગત નિવેદનો કરતો નથી. મારો કહેવાનો અર્થ એ છે કે તેમની વિચારધારા સાપ જેવી છે, જો તમે ચાટવાની કોશિશ કરશો તો મૃત્યુ નિશ્ચિત છે. કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેને જોતા ખડગેએ કોંગ્રેસના ચૂંટણી પ્રચાર દરમિયાન કલબુર્ગીમાં જનતાને સંબોધિત કરતા પીએમ મોદીને લઈને આ નિવેદન આપ્યું હતું.


ભાજપના નેતા અમિત માલવિયાએ વળતો પ્રહાર કર્યો 


ખડગેના નિવેદનનો વીડિયો બીજેપી નેતા અમિત માલવિયાએ ટ્વીટ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, "હવે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ વડાપ્રધાન મોદીને 'ઝેરી સાપ' કહ્યા... અમે જાણીએ છીએ કે સોનિયા ગાંધીના 'મોત કા સોદાગર'થી જે શરૂ થયું અને તેનો કેવો અંત આવ્યો, તે આપણે બંધા જાણીએ છીએ. કોંગ્રેસ સતત નવા સ્તરોને સ્પર્શી રહી છે. તેમની નિરાશા દર્શાવે છે કે કોંગ્રેસ કર્ણાટકમાં મેદાન ગુમાવી રહી છે.


 






બીજી તરફ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અધ્યક્ષ છે. તે દુનિયાને શું કહેવા માંગે છે? તેઓ દેશના પીએમ છે અને આખી દુનિયા તેમનું સન્માન કરે છે અને પીએમ માટે આવી ભાષાનો ઉપયોગ કરવો એ દર્શાવે છે કે કોંગ્રેસ કયા સ્તરે ઝૂકી ગઈ છે. અમે ઈચ્છીએ છીએ કે તેઓ (ખડગે) દેશની માફી માંગે.