Rahul Gandhi Defamation Case: મોદી સરનેમ સંબંધિત માનહાનિના કેસમાં આપવામાં આવેલી સજા સામે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત હાઈકોર્ટ આવતી કાલે શુક્રવારે પોતાનો ચુકાદો સંભળાવશે. રાહુલ ગાંધીને સુરત કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને 23 માર્ચે બે વર્ષની સજા ફટકારી હતી.


દોષી ઠેરવ્યા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. સભ્યપદેથી અયોગ્ય જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ કેરળના વાયનાડમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તેમનો અવાજ દબાવવાનું કામ કરી રહી છે, પરંતુ તેઓ ડરતા નથી.


કોંગ્રેસ અને ભાજપ શું કહે છે?


રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા અભિષેક મનુ સિંઘવીએ એપ્રિલમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, મોઢ અને તેલી સહિત ઘણા લોકો ગુજરાતમાં મોદી સરનેમ લખે છે. રાહુલના નિવેદનને બધા સાથે જોડવું યોગ્ય નથી. જ્યારે અરજીકર્તાનું કહેવું છે કે, દેશના 13 કરોડ લોકોની બદનામી થઈ છે. જે એક મજાક છે.


બીજી તરફ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના અન્ય નેતાઓએ આ સમગ્ર મામલે દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધીએ અન્ય પછાત વર્ગ (ઓબીસી)નું અપમાન કર્યું છે. આ અપમાન બદલ તેમણે ઓબીસી સમાજની માફી માંગવી જોઈએ.


રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?


રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કર્ણાટકમાં પોતાના ભાષણમાં કહ્યું હતું કે, "બધા ચોરોની અટક મોદી જ કેમ છે?". આ નિવેદનને લઈને ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી સામે માનહાનિનો દાવો દાખલ કર્યો છે. જેમાં કથિત રીતે કહેવામાં આવ્યું હતું કે, રાહુલ ગાંધીએ આમ કહીને મોદી સરનેમ ધરાવતા લોકોને બદનામ કર્યા છે.


રાજકીય ઉથલપાથલ 


અગાઉ ભાજપે આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધીની કાનૂની ટીમે કોર્ટના આદેશને પડકારવામાં પૂરતી તત્પરતા દર્શાવી ન હતી કારણ કે પાર્ટી કર્ણાટકની ચૂંટણીઓ પહેલા આને લાવવા માંગતી હતી. સવાલો ઉઠી રહ્યા હતા કે, કોંગ્રેસ નેતા પવન ખેડાની ધરપકડ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ રાહુલ ગાંધીની સજા પછી નહીં. આના પર કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે કાયદાકીય ટીમ તેના પર કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, અમને ખબર છે કે ક્યાં અને ક્યારે અપીલ કરવાની છે, કેમ કે અમારી પાસે 30 દિવસનો સમય છે.


https://t.me/abpasmitaofficial