નવી દિલ્લીઃ પંજાબની ચાર દિવસની યાત્રા પર નીકળેલા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્લીથી લુધિયાણા સુધી વિરોધનો સામનો કરવો પડ્યો હતો. દિલ્લીથી જ્યારે નીકળ્યા તો તેમને નવી દિલ્લી રેલવે સ્ટેશન પર ભાજપની મહિલા કાર્યકર્તાઓએ ઘેરી લીધા હતા. તો લુધિયાણા પહોંચવા પર અકાલી દળ અને કૉંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ કેજરીવાલનો વિરોધ કર્યો હતો. લુધિયાણા પહોંચી કેજરીવાલે રાજ્યની બાદલ સરકાર પર ખૂબ પ્રહાર કર્યા હતા. કેજરીવાલે કહ્યું કે રાજ્યના ઉપ-મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ પાસે મારી 63 નકલી સીડીઓ છે.