Corona news Live Update: વડોદરામાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ છેલ્લા 24 કલાકમાં 8 લોકોના કોવિડથી થયા મૃત્યુ

વડોદરામાં કોરોનાનું ભયાનક સ્વરૃપ સામે આવ્યું છે. ચોવીસ કલાકમાં આઠના મોત થયા છે. તો ઝેરી દવા પીને આપઘાત કરનાર મહિલાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

gujarati.abplive.com Last Updated: 26 Jan 2022 10:53 AM

બ્રેકગ્રાઉન્ડ

વડોદરામાં  કોરોનાનું ભયાનક સ્વરૃપ સામે આવ્યું છે.  ચોવીસ કલાકમાં આઠના મોત થયા છે. તો ઝેરી દવા પીને આપઘાત કરનાર મહિલાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.વડોદરામાં કોરોના કેસોમાં મોટો ઉછાળો...More

પાટણ જિલ્લામાં આજે 196 નવા કેસ નોંધાયા, તો મહિસાગરમાં નવા 14 દર્દીના રિપોર્ટ આવ્યા પોઝિટિવ

પાટણ જીલ્લામાં આજે 196 નવા કેસ નોંધાયા. આજે ગઈકાલ કરતા જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળ્યો છે.
ગઇકાલે જિલ્લામાં કોરોના સંક્રમણના 242 કેસ નોંધાયા હતા. આજે 196 કેસ નોંધાયા છે. 4 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો  637 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. શંકાસ્પદ દર્દીઓના 2,087 સેમ્પલ  હજુ પેન્ડિંગ છે. જેના રિપોર્ટ નથી આવ્યાં. અત્યાર સુધીમાં પાટણ જિલ્લામાં  કુલ કોરોના પોઝિટિવના 2,072 કેસ નોંધાયા છે.


મહીસાગર જિલ્લામાં આજે નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. બાલાસિનોર તાલુકામાં 02, કડાણા 2, ખાનપુર 1, લુણાવાડા તાલુકામાં 5 સંતરામપુર 3 અને વીરપુરમાં 1 કેસ નોંધાયા છે. તો જિલ્લામાં આજે 35 લોકો કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.
જિલ્લામાં એક્ટિવ કેસોનો આંક 122 પર પોહોચ્યો છે.