Corona Vaccine New Guidelines: ભારત સરકારે 21 જૂનથી લાગૂ થનાર રાષ્ટ્રીય કોવિડ રસીકરણ કાર્યક્રમ માટે રિવાઇજ્ડ ગાઇડલાઇન જાહેર કરી છે. તો જાણીએ સરકારે નવા શું દિશા નિર્દેશ આપ્યાં છે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા ભારતની કોવિડ-19 રસીકરણની  નીતિમાં ફેરફારની  જાહેરાત કરી છે. આ દિશા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે, જનસંખ્યા બીમારીના બોજ અને રસીકરણની પ્રગતિના આધાર પર રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોની વેક્સિનની ડોઝ ફાળવણી કરાઇ છે. 



રિવાઇજ્ડ ગાઇડ ગાઇન્સના મુખ્ય બિંદુ શું છે
-ભારત સરકાર દેશમાં નિર્માતાઓ દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલ રસીના 75%ની ખરીદી કરશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસી મફતમાં અપાશે.
- કેન્દ્ર 21 જૂનથી રાજ્યોના 18 વર્ષથી વધુ આયુના બધા જ લોકોના રસીકરણ માટે મફતમાં જૈબ આપશે
- કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોની ફ્રી આઉટ કોસ્ટ વેક્સિન પ્રાથમિકતાના આધારે લગાવાશે.
-હેલ્થ વર્કર્સ
- ફ્રન્ટ લાઇન વર્કસ
- 45થી વધુ વયના લોકો
- જે લોકોને વેક્સિનના બીજો ડોઝ આપવાનો છે
18 વર્ષથી ઉપરના લોકો 
- 4થી 18 વયના એજ ગ્રપૂ માટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પ્રાથમિકતાના આધારે સપ્લાય સેડ્યુલ નક્કી કરશે. 
- ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાન્સમાં સપ્લાય કરવામાં આવેલ વેક્સિનના ડોઝ વિશે જાણકારી આપશે
- પ્રાઇવેટ હોસ્પિટલ માટે  વેક્સિન ડોઝની કિંમત પ્રત્યેક વેક્સિન મેન્યુફેક્ચર દ્રારા ડિક્લેયર કરવામાં આવશે. પ્રાઇવેટ હોસ્પિટલ વધુ 150 રૂપિયા સર્વિસ ચાર્જ લઇ શકે છે. પ્રાઇવેટ હોસ્પિટલના વેક્સિનના ચાર્જ પર રાજ્ય સરકાર નજર રાખશે.
- વેક્સિન બનાવતી કંપનીને પ્રોત્સાહિત કરવા માટે કંપની સીધી જ પ્રાઇવેટ હોસ્પિટલને રસી આપી શકે તેવો પણ વિકલ્પ અપાયો છે. જે તેમના માસિક ઉત્પાદનના 25 ટકા સીમિત હશે. 
-બધા જ નાગરિક તેની ઉંમરની સ્થિતિ છતાં મફત વેક્સિનેસનના હકદાર છે. 
-કેન્દ્રની કન્દ્રીકૃત  મફત રસીકરણ નીતિ 21 જૂન , આંતરરાષ્ટ્રીય યોગ દિવસથી શરૂ થશે. સરકાર 18 વર્ષથી મોટી ઉંમરના બધા જ વ્યક્તિને કોરોનાની વેક્સિન મફતમાં આપશે. 
- લોક કલ્યાણની ભાવનાને પ્રોત્સાહિત કરવા માટે નોન ટ્રાન્સફરેબલ ઇલેક્ટ્રોનિક વાઉચરના ઉપયોગને પ્રોત્સાહિત કરશે. જેને પ્રાઇવેટ રસીકરણ કેન્દ્ર પર ઉપયોગમાં લેવાશે. તેના કારણે લોકો પ્રાઇવેટ વેક્સિનેશનના સેન્ટર પર આર્થિક રીતે નબળા લોકોના રસીકરણમાં આર્થિક રીતે મદદ કરી શકશે. 
- CoWIN પ્લેટફોર્મ પર પ્રત્યેક નાગરિકને સુવિધાજનક અને સુરક્ષિત રીતે પ્રી બુકિંગ વેક્સિનેશન અપોઇટમેન્ટની સુવિધા આપે છે. બધા જ સરકારી અને પ્રાઇવેટ વેક્સિનેશન સેન્ટર પર ઇન્ડિવિજ્યુઅલની સાથે સમૂહો માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા આપશે. 


મહત્વનું છે કે, રાષ્ટ્રને સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે કેન્દ્ર રસી ડોઝના કુલ ઉત્પાદનો 75 ટકા હિસ્સો ખરીદશે અને રાજ્યોને વિના મૂલ્યે પ્રદાન કરશે. કોઈ પણ રાજ્ય સરકાર રસી ઉપર કંઈ ખર્ચ કરશે નહીં. વડા પ્રધાને વધુમાં કહ્યું હતું કે દેશમાં કોવિડ -19 રસીના 23 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં રસીનો સપ્લાય હજું વધુ વધશે.