Corona Vaccine: દેશમાં કોરોનાને નાથવા રસીકરણ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ઉત્તરાખંડના દહેરાદૂનમાં કોરોના રસીકરણને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે.


કયા શહેરમાં છે આ અનોખી સ્કીમ


દેહરાદૂન ડીએમ એન્ડ સીઈઓ દેહરાદૂન સ્માર્ટ સિટી લિમિટેડના આર. રાજેશ કુમારે જણાવ્યું, સ્માર્ટસિટીના સહયોગથી અમે મેગા રસીકરણ ડ્રાઇવ યોજી રહ્યા છીએ. જિલ્લામાં 100 ટકા પુખ્તોએ રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. જ્યારે 50 ટકા લોકોએ બીજો ડોઝ લીધો છે. 18 ઓક્ટોબર થી 2 નવેમ્બર સુધી જે લોકો રસીનો બીજો ડોઝ લેશે તેઓ લકી ડ્રો દ્વારા વિવિધ ઈનામ જીતવાના હકદાર બનશે. ઈનામમમાં ઈલેક્ટ્રિક સ્કૂટર, રેફ્રિજરેટર, ટીવી, સ્માર્ટ ફોન વગેરે છે. અમે પલટન બજા અને પેસિફિક મોલમાં ‘વોક ઈન વેક્સિનેશન’ સેન્ટર પણ શરૂ કર્યા છે.




ભારતમાં કોરોનાની શું છે સ્થિતિ


શુક્રવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 16,862 નવા કેસ નોંધાયા છે અને 387  સંક્રમિતોના મોત થયા છે.  એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,03,678 પર પહોંચી છે. દેશમાં અત્યાર સુધીમાં 97,14,38,553 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 30,26,483 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 58,88,44,673 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે પૈકી 11,80,148 સેમ્પલનું ગઈકાલે ટેસ્ટિંગ થયું હતું.



  • કુલ કેસઃ 3 કરોડ 40 લાખ 37 હજાર 592

  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 33 લાખ 82 હજાર 100

  • કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 03 હજાર 814

  • કુલ મોતઃ 4 લાખ 51 હજાર 814


કોરોના સંક્રમણને રોકવા દિવાળી-ક્રિસમસ મહત્વપૂર્ણઃ ડો. ગુલેરિયા


કોરોનાનાનું સંક્રમણ ફરી ધીમી ગતિ વધી રહ્યું છે ત્યારે    દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર 6થી7 સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર 6થી 8 સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર  કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા 6થી8 સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર નવરાત્રિ, દશેરા, દિવાળી ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.