પુણેઃ ભારતમાં કોરોનાની ત્રણ રસીનું વિવિધ તબક્કામાં ટ્રાયલ ચાલી રહ્યુ છે. ક્લિનિકલ ટ્રાયલના બીજા તબક્કમાં પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્મિત કોવિશિલ્ડ રસીનો પ્રથમ શૉટ 32 વર્ષ અને 48 વર્ષના એમ કુલ બે વ્યકિતને બુધવારે આપવામાં આવ્યો હતો. એક મહિના બાદ તેમને બીજો ડોઝ આપવામાં આવશે. પુણેની ભારતી વિદ્યાપીઠ મેડિકલ કોલેજ અને હોપસ્પિટલે કહ્યું કે, જે બે લોકોને ઓક્સફોર્ડની કોવિડ-19 રસી આપવામાં આવી તેમનું સ્વાસ્થ્ય સારું છે અને કોઈ તકલીફ નથી.


ડો. જિતેન્દ્ર ઓસ્વાલે કહ્યું, ગઈકાલથી અમારી ટીમ બંને લોકોના સંપર્કમાં છે અને તેઓ તંદુરસ્ત છે. રસી આપ્યા બાદ તેમને દુઃખાવો, તાવ, ઈન્ફેક્શન કે કોઈપણ જાતની આડઅસર નથી. બુધવારે બંનેને રસી આપવામાં આવ્યા બાદ અડધા કલાક સુધી તેમના પર નજર રાખવામાં આવી હતી. જે બાદ તેમને ઘરે જવા દેવાયા હતા.

ડો. ઓસ્વાલે કહ્યું, બંનેને તમામ જરૂરી નંબર આપવામાં આવ્યા છે. ઇમરજન્સીમાં તેના પર ગમે ત્યારે સંપર્ક કરી શકાશે. અમારી મેડિકલ ટીમ પણ સતત તેની સાથે સંપર્કમાં છે. હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો. સંજય લાલવાનીએ બુધવારે કહ્યું હતું કે, બંને વ્યક્તિને એક મહિના બાદ રસીનો બીજો ડોઝ આપવામાં આવશે તથા આગામી સાત દિવસમાં 25 લોકોને રસી અપાશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 75,760 નવા દર્દી સામે આવ્યા છે અને 1023 લોકોના મોત થયા છ.  આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 33,10,235 પર પહોંચી છે. જેમાંથી 7,25,991 એક્ટિવ કેસ છે અને 25,23,772 લોકો સાજા થઈ ગયા છે. કુલ મૃત્યુઆંક 60,472 પર પહોંચ્યો છે.

દેશમાં મૃત્યુ દર અને એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્યુદર ઘટીને 182 ટકા થયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 22 ટકા થઈ છે. જ્યારે રિકવરી રેટ 76 ટકા થયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.

ભારતીય વૈજ્ઞાનિકોએ N-95 માસ્કને લઈ કર્યો નવો દાવો, ISRO એ પણ કર્યુ સમર્થન

Gujarat Rainfall Update: બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશરના કારણે 29 ઓગસ્ટથી ક્યા બે વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ ?

હવે કોહલીએ આપ્યા સારા સમાચાર, અનુષ્કા પણ છે પ્રેગનન્ટ, જાણો ક્યારે આપશે બાળકને જન્મ ?