કોરોના વાયરસના સંક્રમણથી શરીર નબળું પડી જાય છે. આ સ્થિતિમાં શરીરની નબળી થતું ટકાવવા માટે યોગ્ય આહાર જરૂરી છે. પોષણ વિશેષજ્ઞ નવીનતમ શોધના આધારે પહેલા 50 ટકા પોષણની આવશ્યકતા હોય છે તો પછી 70 ટકા તો ત્યારબાદ તેને 100 ટકા સુધી લઇ જાવ. કોરોના કાળમાં લોકો આહાર શૈલીને લઇને પણ વધુ જાગૃત થઇ ગયા છે. તો સંક્રમણ બાદ ફરી શરીરને સક્ષમ બનાવવા માટે કેવો આહાર લેવો જોઇએ અને સંક્રમિત દર્દીઓએ કેવો આહાર લેવો જોઇએ જાણીએ..


કોરોનાના દર્દી માટે પોષણ માટે ગાઇડલાઇન



  • વધેલા ખોરાકને ચિકિત્સા અપશિષ્ટના રૂપે મનાય છે.

  • નિયમિત વર્કઆઉટ અને બ્રીથિંગ એક્સરસાઇઝ કરો

  • ઉચ્ચ જૈવિક મૂલ્ય પ્રોટીનની સાથે સંતુલિત આહાર લો

  • ઓરલ, ન્યુટ્રીશન સપ્લીમેન્ટસ અને એન્ટીબોડી પ્રદાન કરે

  • વિટામિન સી અને ડીનું સેવન કરો

  • કોરોના: શું કરે અને શું ન કરવું


કોવિડના રોગીઓએ એવો આહાર લેવો જોઇએ જે માંસપેશીઓ,  રોગપ્રતિકાર શક્તિ  અને ઉર્જા સ્તરના નિર્માણ માટે મદદ મળે. ઓટસમાં કાર્બોહાઇડ્રેટસ, ચિકન, માછલી, ઇંડા, પનીર, સોયા, નટસ અને બીજ પ્રોટીનના સારા સ્ત્રોત છે. અખરોટ, બદામ, જૈતૂનનું તેલ,સરસવના તેલનના ઉપયોગની પણ ભલામણ કરાઇ છે. દિવસમાં એકવાર હળદરવાળું દૂધ પીવું જોઇએ. ભોજનમાં આમચૂર સામેલ કરો. નરમ ભોજન લેવાનો આગ્રહ રાખો. સ્પાઇસી, ઓઇલી વસ્તુ આપવાનું અવોઇડ કરો. ઠંડી વસ્તું ફ્રીઝનું પાણી પણ ન આપવું.


Who મહામારીમાં સુરક્ષિત આહાર માટે રજૂ કરી ગાઇડલાઇન



  • મોટાભાગના સૂક્ષ્મ જીવો કોઈ રોગ ફેલાવતા નથી, પરંતુ કેટલાક એવા પણ છે જે માટી, પાણી, પ્રાણીઓ અને માણસોમાં વ્યાપકપણે જોવા મળે છે.

  • આ સુક્ષ્મસજીવો આપણા હાથ,  મોપના  કપડાં, વાસણો, કટીંગ બોર્ડ પર મોજૂદ હોય છે.

  • જો તેમનો ખાવા પીવાની વસ્તુઓ  સાથે થોડો સંપર્ક હોય તો પણ આ ફૂડ ખાવા પીવાને લીધે રોગો થવાનું જોખમ રહે છે.

  • પોલ્ટ્રી ઉત્પાદક, કાચું માંસને ખાવા પીવાની અન્ય વસ્તુથી દૂર રાખવી જોઇએ. કાચા ખાવાને ડાયેરેક્ટ ન અડકતા કટિંગ બોર્ડ, ચાકૂનો ઉપયોગ કરો.

  • તૈયાર ભોજન અને કાચા ફૂડની વચ્ચે સંપર્ક થાય તે સુનિશ્ચિત કરો. ખાવા પીવાની વસ્તુને કન્ટેનરમાં રાખો.

  • માંસ પોલ્ટ્રીના ફૂડમાં  એવા ખતરનાક જીવો હોય છે, જે કૂકિંગ સમયે અન્ય ચીજોને સંક્રમિત કરી શકે છે.

  • માંસ, ઇંડા, ચિકનને બરાબર પકાવવું જરૂરી

  • સૂપને ઉકાળતી વખતે 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર હોય છે.

  • ફ્રીઝમાં વધુ સમય સુધી ભોજનને સ્ટોર ન કરો