નવી દિલ્હીઃ દુનિયાના અન્ય દેશોની સાથે સાથે હવે ભારતમાં પણ કોરોનાનો કહેર શરૂ થઇ ગયો છે. ભારતમાં કુલ 17 રાજ્યો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે અને દિવસે દિવસે આ આંકડો વધી રહ્યો છે.


રિપોર્ટ પ્રમાણે, ભારતમાં આજે એકજ દિવસમાં જીવલેણ કોરોનાના 15 નવા કેસો સામે આવ્યા છે. આ સાથે ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને હવે 166 થઇ ગઇ છે.

166 સંક્રમિત લોકોમાં દેશના 126 દેશના અને 25 લોકો વિદેશના સામેલ છે. વળી, 14 લોકો ઠીક થઇને પોતાના ઘરે પહોંચ્યા છે અને ત્રણ લોકોના મોત થઇ ચૂક્યા છે.

Created with GIMP

કયા રાજ્યમાં કેટલા દર્દીઓ ?
- મહારાષ્ટ્રમાં સૌથી વધુ 42 કેસ નોંધાયા છે, ત્રણ વિદેશી નાગરિક છે
- કેરાલામાં 25 કેસ, બે વિદેશી નાગરિક
- યુપીમાં 16 કેસ, એક વિદેશી નાગરિક
- હરિયાણામાં 17 કેસ, 14 વિદેશી નાગરિક
- કર્ણાટકામાં 11 કેસ
- દિલ્હીમાં 8 કેસ, એક વિદેશી નાગરિક
- લદ્દાખમાં 8 કેસ
- તેલંગાણામાં 6 કેસ, બે વિદેશી નાગરિક
- રાજસ્થાનમાં 4 કેસ, બે વિદેશી નાગરિક
- જમ્મુ-કાશ્મીરમાં 3 કેસ
- ઓડિશા, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, બંગાળ, પંજાબમાં 1-1 કેસ

166 સંક્રમિત લોકોમાં દેશના 126 દેશના અને 25 લોકો વિદેશના સામેલ છે. વળી, 14 લોકો ઠીક થઇને પોતાના ઘરે પહોંચ્યા છે અને ત્રણ લોકોના મોત થઇ ચૂક્યા છે.