નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. દિલ્હીમાં કોરોનાના કુલ 576 મામલા  નોંધાયા છે. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે.


દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર કુમાર જૈને કહ્યું કે, દિલ્હીમાં તબલીગી જમાત સાથે સંકળાયેલા કોરોનાથી સંક્રમિત લોકોની સખ્યા 550 છે. નિઝામુદ્દીન મરકઝની તબલીગી જમાત સાથે સંકળાયેલા લોકોના મોબાઈલ નબર પોલીસને સોંપવામાં આવ્યા છે. તેમાથી ઘણા લોકો કોરોના પોઝિટિવ છે. જમાત સાથે સંકળાયેલા 500થી વધારે લોકો રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

તબલીગી જમાત સાથે જોડાયેલા ઉલેમાઓનો દાવો છે કે કોઈ સંગઠન કે અલગ વર્ગ નથી. તેમનું કામ માત્ર એટલું છે કે દરેક શહેર અને ગામે ફરીને લોકોને ઈસ્લામ પર સાચા માર્ગે ચાલવાની જાણકારી આપવી. સારા અને ખોટાના ફરકને સમજવાનો છે. વેપાર કે નોકરીમાંથી કરવામાં આવેલી કમાણીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે જાણકારી પણ જમાત આપે છે. જમાત જે શહેર કે ગામમાં પણ જાય છે ત્યાં તેઓ હંમેશા મસ્જિદોમાં જ રોકાય છે.

દિલ્હીના દ્વારકામાં જમાતીઓની અશોભનીય હરકત

દ્વારકામાં ક્વોરન્ટીન સેન્ટરની બહાર જમાતીઓ દ્વારા પેશાબ ભરેલી બોટલો ફેંકવમાં આવી હતી. મંગળવારે સાંજે આ ઘટના બની હતી. જેનો એક વ્યક્તિએ વીડિયો બનાવી લીધો હતો. જાણકારી મુજબ આ સેન્ટર્સમાં માત્ર જમાત સાથે સંકળાયેલા લોકોને જ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.