Coronavirus: નરેન્દ્ર મોદી સરકારે કોવિડ-19 સામે રક્ષણ માટે 15-18 વર્ષની વયના કિશોરોને કોવોક્સિન રસી આપવાની ઓફર કરી છે. પરંતુ કોરોના રોગચાળાને કારણે દેશમાં નોન-કોવિડ રસીકરણ અભિયાનની ગતિ અટકી ગઈ છે. યુનિસેફ દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, 2020માં દેશમાં રસીકરણ અભિયાનને ખરાબ રીતે અસર થઈ હતી કારણ કે તમામ મોટા રસીકરણ અભિયાનોનો કવરેજ ખૂબ ઓછો હતો. ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓની અછત એ દેશના રસીકરણ કાર્યક્રમને અસર કરતા મુખ્ય પરિબળોમાંનું એક છે. ભારત નોન-કોવિડ રસી લાગુ કરવાના મામલામાં પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાથી પાછળ હોવાનું જણાય છે.


UIP પ્રોગ્રામ ભારતમાં ક્યારે રજૂ કરાયો હતો


યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (UIP) ભારતમાં 1980 ના દાયકામાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ દેશમાં નવજાત શિશુઓ અને બાળકોને સાત રોગોથી બચાવવા માટે ડિપ્થેરિયા, કાળી ઉધરસ, ધનુર, પોલિયો, ઓરી, બાળ ક્ષય રોગનું ગંભીર સ્વરૂપ, હેપેટાઇટિસ બી, હિમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા પ્રકાર B (Hib) અને ડાયરિયાથી બચાવવા માટે રસી આપવામાં આવે છે.


1991 પછી પહેલીવાર પોલિયો રસીકરણ ઘટ્યું


યુનિસેફના ડેટા મુજબ, 12 થી 23 મહિનાના બાળકોને આપવામાં આવતી પોલિયો રસીના ત્રીજા ડોઝમાં 2019ની સરખામણીમાં 2020માં પાંચ ટકાનો ઘટાડો થયો છે. 1991 પછી ડોઝમાં આ સૌથી મોટો ઘટાડો છે. દેશનું પોલિયો રસીકરણ 2014ના સ્તરે નીચે ગયું હતું, જેમાં કુલ કવરેજ લગભગ 85 ટકા હતું. તેવી જ રીતે, ડીપીટી (ડિપ્થેરિયા, કાળી ઉધરસ, ટિટાનસ) ના કિસ્સામાં, 12-23 મહિનાના બાળકોને આપવામાં આવતી પ્રથમ માત્રામાં 7 ટકાનો ઘટાડો થયો છે.  1991 પછીનો સૌથી મોટો ઘટાડો પણ છે. છેલ્લી વખત ડીપીટી રસીમાં (એક ટકાની) કમી 2006માં નોંધાઈ હતી. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ટીબીની રસી પણ સાત ટકા ઓછી આપવામાં આવી છે.


આ પણ વાંચોઃ Covid-19: કોરોના સંક્રમિતો માટે ઘાતક સાબિત થઈ શકે છે આ ભૂલો, આ રીતે બચો


Aadhaar Card બનાવવા કે અપડેટ કરાવવા માટે ઘરે બેઠા જ બુક કરો અપોઈન્ટમેંટ, આ રહી પૂરી પ્રોસેસ