Omicron Sub Variant In India: ભારતમાં આંતરરાષ્ટ્રીય યાત્રીઓની તપાસ દરમિયાન ઓમિક્રૉનના 11 સબ-વેરિએન્ટ મળ્યા છે, આ તમામ પ્રકારના કેસો પહેલાથી જ ભારતમાં સામે આવી ચૂક્યા છે. અધિકારિક સુત્રએ બતાવ્યું કે, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને બંદરો પર ટેસ્ટિંગ દરમિયાન 24 ડિસેમ્બરથી 3 જાન્યુઆરીની વચ્ચે આંતરરાષ્ટ્રીય યાત્રીઓમાં 11 કોરોના વેરિએન્ટ ઓમિક્રૉન સબ-વેરિએન્ટ મળી આવ્યા છે. 


અધિકારિક સુત્રએ કહ્યું કે, કુલ 19,227 નમૂનાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે, જેમાંથી 124 આંતરરાષ્ટ્રીય યાત્રીઓ પૉઝિટીવ નીકળ્યા છે અને તેમને આઇસૉલેટ કરી દેવામાં આવ્યા છે. 124 પૉઝિટીવ સેમ્પલમાંથી 40 ના જીનૉમ સિક્વેન્સિંગના રિઝલ્ટ મળ્યા જેમાંથી XBB.1 સહિત મેક્સિમમ 14 સેમ્પલમાં XBB નીકળ્યા, બીએફ 7.4.1 એક નમૂનામાં મળી આવ્યા છે. 


છેલ્લા થોડાક દિવસોમાં કોરોના વાયરસના એક્સબીબી 1.5 વેરિએન્ટના 5 સંક્રમિત દર્દીઓ મળ્યા હતા, કોરોના વાયરસના આ વેરિએ્ટના કારણે અમેરિકામાં કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ભારતીય સાર્સ -સીઓવી-2 જીનૉમિક્સ સંઘ (ઇન્સાકૉગ)નાં આંકડા અનુસાર, આ 5 કેસોમાંથી ત્રણ ગુજરાત અને એક એક કર્ણાટક અને રાજસ્થાનમાંથી મળી આવ્યા હતા.  એક્સબીબી 1.5 વેરિએન્ટ ઓમિક્રૉનના એક્સબીબી વેરિએન્ટથી જ સંબંધિત છે. અમેરિકામાં વાયરસના 44 ટકા કેસો એક્સબીબી અને એક્સબીબી 1.5ના છે. 


 


Coronavirus News: દેશમાં ફરી કોરોનાના કેસ વધ્યા- 


કેટલાક દેશોમાં કોરોનાને કારણે મૃત્યુનો પ્રકોપ ચાલુ છે. ચીનમાં કોરોનાના કારણે સર્જાયેલા હાહાકારને જોતા ભારત સરકાર પણ ફુલ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ભારતમાં પણ કેસ ફરી વધવા લાગ્યા છે. દેશમાં કોરોનાના 2670 એક્ટિવ કેસ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સોમવારે (2 જાન્યુઆરી) સવારે અપડેટ કરાયેલા ડેટા અનુસાર, દેશમાં ચેપના કેસ હવે વધીને 4,46,78,822 થઈ ગયા છે. આ સાથે, ચેપમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,41,45,445 થઈ ગઈ છે.


ભારતના ટોપ-5 રાજ્યો જ્યાં સૌથી વધુ કેસ છે


હાલમાં દેશમાં 2670 એક્ટિવ કેસ છે. સૌથી વધુ એક્ટિવ કેસ કેરળ અને કર્ણાટકમાં છે. દેશના અડધાથી વધુ કોરોના કેસ માત્ર કેરળમાંથી આવી રહ્યા છે. તે પછી કર્ણાટક અને મહારાષ્ટ્ર આવે છે. કેરળમાં 1,444 કેસ છે. તે પછી કર્ણાટકમાં 326, મહારાષ્ટ્રમાં 161, ઓડિશામાં 88 અને તમિલનાડુમાં 86 એક્ટિવ કેસ છે.


દેશમાં નોંધાયેલા નવા કેસોની સંખ્યા આ સમયે ભલે ઓછી હોય પરંતુ સરકાર એક્શન મોડમાં છે. દેશમાં ચીન જેવી સ્થિતિ ન સર્જાય તે માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને રાજ્ય સરકારો કડક પગલાં લઈ રહી છે. દેશની રાજધાની દિલ્હી સહિત ઘણા એરપોર્ટ પર મુસાફરોનું રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.