નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. જોકે આજે કોરોનાના કેસને લઈ રાહતના સમાચાર આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે પરંતુ મૃત્યુઆંક યથાવત્ રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,81,386 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4106 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,78,741 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 49 લાખ 65 હજાર 4563
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 11 લાખ 74 હજાર 076
- કુલ એક્ટિવ કેસ - 35 લાખ 16 હજાર 997
- કુલ મોત - 2 લાખ 74 હજાર 390
છેલ્લા 16 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
| તારીખ | કેસ | મોત |
| 16 મે | 3,11,170 | 4077 |
| 15 મે | 3,26,098 | 3890 |
| 14 મે | 3,43,144 | 4000 |
| 13 મે | 3,62,727 | 4120 |
| 12 મે | 3,48,421 | 4205 |
| 11 મે | 3,29,942 | 3876 |
| 10 મે | 3,66,161 | 3754 |
| 9 મે | 4,03,738 | 4092 |
| 8 મે | 4,07,078 | 4187 |
| 7 મે | 4,14,188 | 3915 |
| 6 મે | 4,12,262 | 3980 |
| 5 મે | 3,82,315 | 3780 |
| 4 મે | 3,57,299 | 3449 |
| 3 મે | 3,68,147 | 3417 |
| 2 મે | 3,92,498 | 3689 |
| 1 મે | 4,01,993 | 3523 |
18 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 29 લાખ 26 હજાર 460 ડોઝ આપવામાં આવ્યા છે.
આ રાજ્યોમાં છે એક લાખથી વધુ એક્ટિવ કેસ
11 રાજ્યોમાં એક લાખથી વધારે કેસ છે. જ્યારે 8 રાજ્યોમાં 50 હજારથી એક લાખ અને 17 રાજ્યોમાં 50 હજારથી ઓછા કેસ છે. એક સમયે મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢમાં વધારે એક્ટિવ કેસ નોંધાતા હતા પરંતુ હવે તેમાં ઘટાડો થયો છે. એક્ટિવ કેસની બાબતે કર્ણાટક ટોચ છે. મહારાષ્ટ્ર બીજા, કેરળ ત્રીજા ક્રમે છે.
કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ
ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 31,64,23,658 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 16 મે ના રોજ 15,73,515 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. એક જ દિવસમાં 2,59,435 સેમ્પલ ટેસ્ટ ઓછા કરાયા હતા. જ્યારે 15 મે ના રોજ 18,32,950 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.
રાજ્યોની હાલત છે ખરાબ
કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત
સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.
