નવી દિલ્લી: કોરોના વાયરસ પર થયેલ રિસર્ચમાં એવો ખુલાસો થયો છે કે, ડેલ્ટા વેરિયન્ટ બમણી તેજીથી લોકોને સંક્રમિત કરીને હોસ્પિટલ પહોંચાડી રહ્યો છે. તો રિપોર્ટમાં એવો પણ દાવો છે કે. કોરોના વેક્સિનથી આ ખતરાને ઓછો કરી શકાશે. 


દેશભરમાં અત્યાર સુધીમાં વાયરસના આંકડા 2 કરોડ 96 લાખને પાક થઇ ચૂક્યાં છે. તો કોરોના સંક્રમણની બીજી લહેર દરમિયાન દેશમાં આંકડા ખૂબ જ ઝડપથી વધી રહ્યાં છે. હાલ એક  સ્ટડીમાં ખુલાસો થયો છે કે, કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટ અત્યાર સુધીમાં સૌથી ખતરનાક છે અને લોકોને સંક્રમિત કરી રહ્યાં છે. 


ડેલ્ટા વેરિયન્ટ સૌથી ખતરનાક 
સ્કોરટલેન્ડમાં કોરોના વાયરસ પર થયેલી રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં સંક્રમણની બીજી લહેર દરમિયાન ડેલ્ટા વેરિયન્ટે સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. સ્ટડી મુજબ કોરોના વેક્સિન દ્રારા તેના પર નિયંત્રણ મેળવી શકાય તેમ છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસના વેક્સિનની બે ડોઝ ડેલ્ટા વેરિયન્ટથી શરીરને ખૂબ જ મજબૂત ઇમ્યૂન સુરક્ષા પ્રદાન કરે છે.


આ વેરિયન્ટના કારણે હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડે છે. સ્કોટલેન્ડમાં 54 લાખ લાખ લોકપર થયેલ રિસર્ચના ધ લેંસેટ પત્રિકામાં પ્રકાશિત કરાઇ હતી. તો યુનિવર્સિટી ઓફ સ્ટ્રેથફ્લાઇઢના એક પ્રોફેસર ક્રિસ રોબર્ટસનનું કહેવું છે કે, ડેલ્ટા વેરિયન્ટના કારણે સંક્રમણ થવાનો ખતરો આલ્ફા વેરિયન્ટની તુલનામાં બમણો છે. તો કોરોના વાયરસની આલ્ફા વેરિયન્ટના કારણે હોસ્પિટલમાં ભરતી થવાનું જોખમ બમણું વધી ગયું છે. 


ડેલ્ટા વેરિયન્ટ પર કોવિડની વેક્સિન કારગર 
તો સ્ટડી અનુસાર દર્શાવવામાં આવ્યું છે કે, કોરોના વેક્સિન આલ્ફા વેરિયન્ટના ખતરાને સતત ઓછો કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વેક્સિનના બંને ડોઝ અથવા કોરોના કોરોના પોઝિટિવ થયાના 28 દિવસ બાદ લેવાયો પહેલો ડોઝ 70 ટકા કારગર સાબિત થઇ રહ્યો છે. 


ભારતમાં કોરોનાની શું છે વર્તમાન સ્થિતિ


ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા આઠમા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. મંગળવારની સરખામણીએ બુધવાકે દેશમાં કોરોનાના કેસમાં સાધારણ ઉછાળો આવ્યો છે. આજે દેશમાં 62,224 કેસ નોંધાયા હતા, જ્યારે ગઈકાલે  છેલ્લા 24 કલાકમાં 60471 નવા કેસ નોંધાયા હતા આ સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2500થી વધુ લોકોના મોત થયા છે.  


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 62,224 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,07,628 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 2542 લોકોના મોત થયા છે.