નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેરને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લૉકડાઉનની સમયમર્યાદા ફરી એકવાર વધારી દીધી છે, બીજી સમયમર્યાદામાં 3 મે સુધી દેશને લૉકડાઉનમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આવા સમયે સરકારે વિદેશી નાગરિકોનો પણ ખ્લાય રાખ્યો છે.


ભારત સરકારે કૉવિડ-19ના કારણે ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિકોના નિયમિત વિઝા અને ઇ-વિઝા 30 એપ્રિલ સુધી વધારવાનો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે આ વાતની જાણકારી આપી હતી.



ખાસ વાત છે કે દેશમાં 24 માર્ચથી પ્રથમ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી, હવે બીજા લૉકડાઉનને 3 મે સુધી વધારી દેવામાં આવ્યુ છે, આવામાં કેટલાય વિદેશની નાગરિકો ભારતમાં ફસાયેલા છે. આ તમામના વિઝાની સમયમર્યાદને એક્સટેન્ડ કરવામાં આવી છે.