લોકડાઉનનો પહેલો દિવસ: દેશમાં કઈ જગ્યાએ કેવી છે સ્થિતિ? તમે જે જાણવા માંગો છો તે બધું જ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Mar 2020 12:51 PM (IST)
સમગ્ર દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી નાખ્યો છે જેને રોકવા ભારતમાં યદ્ધ ચાલી રહ્યું છે. મંગળવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી.
નવી દિલ્હી: સમગ્ર દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી નાખ્યો છે જેને રોકવા ભારતમાં યદ્ધ ચાલી રહ્યું છે. મંગળવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી. નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરતાં કહ્યું હતું કે, ઘરમાં રહો, કામ વગર ઘરની બહાર ન નીકળો. જોકે જરુરીયાતની ચીજવસ્તુઓ માટે દુકાનો ચાલુ છે. પીએમની જાહેરાત બાદ કરિયાણાની દુકાનો પર ભીડ જોવા મળી હતી. પરંતુ ગૃહ મંત્રાલયે આશ્વાસન આપ્યું હતું કે પેનિક થવાની જરુર નથી.