નવી દિલ્હીઃ કોરોના વાયરસથી બચવા માટે છત્તીસગઢ વિધાનસભાનું બજેટ સત્ર 25 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. હોળીની રજાઓ બાદ સત્ર 16 માર્ચથી શરૂ થવાનું હતુ પરંતુ હવે ફક્ત 16 માર્ચના રોજ જ સત્ર ચાલશે ત્યારબાદ ગૃહની કાર્યવાહી 25 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવશે. આજે સવારે છત્તીસગઢ વિધાનસભામાં કાર્યમંત્રણા સમિતિની થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.


છત્તીગસઢની સરકારે નિર્ણય લીધો છે કે રાજ્યના શહેરી વિસ્તારમાં તમામ પબ્લિક લાઇબ્રેરી, જિમ, સ્વીમિંગ પુલ, વોટર પાર્ક અને આંગણવાડી 31 માર્ચ સુધી બંધ રહેશે.