Coronavirus: મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયા વળતર આપવાની કેન્દ્ર સરકારે કરી જાહેરાત
Coronavirus: 3 એપ્રિલે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારો પદ્મ એવૉર્ડ્સ સમારોહ કરાયો રદ્દ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Mar 2020 06:07 PM (IST)
કોરોના વાયરસના કારણે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર પદ્મ પુરસ્કાર સમારોહ રદ્દ કરવામાં આવ્યો છે. નવી તારીખ હાલ જાહેર કરવામાં આવી નથી.
નવી દિલ્હી: દુનિયાભરમાં જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા અત્યાર સુધી 83 થઈ ગઈ છે. જેમાંથી બે લોકોના મોત થયા છે. એવામાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના કારણે દેશ-વિદેશમાં અનેક મોટી મોટી ઈવેન્ટો રદ કરવામાં આવી છે. ત્યારે સાવચેતીના ભાગરુપે ત્રણ એપ્રિલે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર પદ્મ પુરસ્કાર સમારોહ સ્થગિત કરવામાં આવ્યો છે. નવી તારીખ હાલ નક્કી કરવામાં આવી નથી. ભારતમાં કોરોના વાયરસનો પ્રસાર વધતાં જ વિવિધ રાજ્યોની સરકારોએ યુદ્ધસ્તરે પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. આકરાં પગલાં અંતર્ગત યુપી, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, દિલ્હી,ગોવા જેવા રાજ્યોએ શાળા અને કોલેજો બંધ કરવા સહિત જાહેર કાર્યક્રમો પર રોક લગાવી દેવાની જાહેરાત કરી છે. દિલ્હીમાં કોરોના વાયરસના 7 મામલા સામે આવ્યા છે. જ્યારે કેરળમાં 22, હરિયાણામાં 17, રાજસ્થાનમાં 3, ઉત્તર પ્રદેશમાં 11, કર્ણાટકમાં 7, લદાખમાં ત્રણ અને મહારાષ્ટ્રમાં 17 કેશની પુષ્ટી થઈ છે.