નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે 13 લાખને પાર થઈ ગઈ છે અને મૃતકોની સંખ્યા 31 હજારને વટાવી ગઈ છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 759 લોકોના મોત થયા છે અને 48,916 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13,36,861 પર પહોંચી છે અને 31,358 લોકોના મોત થયા છે. 8,49,431 લોકો સાજા થઈ ગયા છે અને 4,56,071 એક્ટિવ કેસ છે.



કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે. જો 10 લાખ વસતી પર સંક્રમિત મામલા અને મૃત્યુદરની વાત કરવામાં આવે તો અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ ઘણી સારી છે. ભારતથી વધારે મામલા અમેરિકા અને બ્રાઝીલમાં છે.

ભારતમાં મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં 3,57,117 કેસ નોંધાય છે. જે પછી તમિલનાડુમાં 1,99,749, દિલ્હીમાં 1,28,389, કર્ણાટકમાં 85,870, આંધ્રપ્રદેશમાં 80,858,  ઉત્તરપ્રદેશમાં 60,771, ગુજરાતમાં 53,545, તેલંગાણામાં 52,466, પશ્ચિમ બંગાળમાં 53,973, રાજસ્થાનમાં 34,178 કેસ નોંધાયા છે.