Corona vaccine: કોરોનાની મહામારી વચ્ચે દેશમાં હાલ 18 વર્ષની મોટી ઉંમરનાનું વેક્સિનેશન શરૂ થઇ ગયું છે. હાલ દેશમાં કોવિશીલ્ડ અને કોવેક્સિન લગાવવામાં આવી રહી છે. લોકો હજું પણ વેક્સિનની  અસરકારકતા, તેના સાઇડ ઇફેક્ટને લઇને થોડી મુંઝવણમાં છે તો આજે તેની અસરકારકતા, સાઇડઇફ્રેક્ટ વિશે વાત કરીએ..


કેવી રીતે બની કોવેક્સિન?


કોવેક્સિનનું નિર્માણ ભારતની બાયોટેક ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ  વાયરોલોજી(NIV)મળીને ડેવલપ કરી છે. કોવેક્સિન ઇનએક્ટિવેટ વેકિસન છે. જે બીમારી પેદા કરતા વાયરલને નિષ્ક્રિય કરીને બનાવવામાં આવી છે.


કોવિશીલ્ડ કેવી રીતે શોધાઇ?


કોવિશીલ્ડનું નિર્માણ ચિમ્પાજી એડેનોવાયરસ  વેક્ટર પર આઘારિત છે. તેમને ચિમ્પાજીને સંક્રમિત કરનાર વાયરસના આનુવાંશિક રીતે સંશોધિત  કરવામાં આવી છે. જેથી તે ઇન્સાનમાં ન ફેલાઇ શકે.આ સંશોધિત વાયરસમાં એક હિસ્સો કોરોના વાયરસનો છે. જેને સ્પાઇક પ્રોટીન કહેવામાં આવે છે. તે શરીરમાં ઇમ્યૂન રિસ્પોન્સ બનાવે છે. જે સ્પાઇક પ્રોટીનને ઓછું કરે છે આ વેક્સિન એન્ટી બોડી અને મેમોરી સેલ્સ બનાવે છે. જેના કારણે વાયરસને ઓળખવામાં મદદ મળે છે.


કોવેક્સિનના ફાયદા


દુનિયાભરના એક્સપર્ટ કોવેક્સિનની કાર્યક્ષમતાની પ્રશંસા કરી રહ્યાં છે. વ્હાઇટ હાઉસના મેડિકલ એડવાઇઝલ એંથોની ફાઉચીએ ખુદ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘કોવેક્સિન B.1.617 વેરિયન્ટ એટલે કે ભારતના ડબલ મ્યૂટન્ટ વેરિઅન્ટને બેઅસર કરવામાં કારગર છે’ બંને વેક્સિનની ખૂબી એકબીજાથી અલગ છે. ક્લિનિકલ સ્ટડી મુજબ કોવેક્સિન ઘાતક ઇંન્ફેકશન અને મૃત્યુદરના જોખમને  100 ટકા ઓછું કરે છે.


કોવિશીલ્ડના ફાયદા


ઓક્સફોર્ડ એસ્ટ્રેજેનેકા દ્વારા ડેવલપ કોવીશીલ્ડનો ભારત સિવાય અન્ય દેશોમાં પણ ઉપયોગ થઇ રહ્યો છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ વેક્સિન કોરોના સામે એન્ટીબોડી જનરેટ કરવાનું કામ કરે છે. જો કે આ બંને વેક્સિનની ખૂબી એકબીજાથી અલગ છે. ક્લિનિકલ સ્ટડી મુજબ કોવેક્સિન ઘાતક ઇંન્ફેકશન અને મૃત્યુદરના જોખમને  100 ટકા ઓછું કરે છે. આ વેક્સિન સિમ્પટોમેટિક ઇન્ફેકશનમાં રાહત આપે છે. તેમજ ઝડપથી રિકવર પણ કરે છે. તેની એફેકેસી 70 ટકા છે. બંને ડોઝ લીધા બાદ તેને 90 ટકા સુધી વધારી શકાય છે.