દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. એક જ દિવસમાં દેશભરમાં કોવિડના 12 હજારથી વધુ કેસ નોંધાયા છે. તાજેતરના આંકડા અનુસાર, ગુરુવારે (20 એપ્રિલ) કોવિડના 12591 કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં 20 ટકા વધુ છે.






સવાલ ઉઠી રહ્યા છે કે શું દેશમાં કોરોનાની નવી લહેર આવશે. કોવિડના વધતા જતા કેસોને જોતા આવી અટકળો લગાવવામાં આવી રહી છે. હાલમાં દેશભરમાં કોવિડના કુલ 65286 એક્ટિવ કેસ છે. તો બીજી તરફ, દિલ્હીમાં ગુરુવારે દેશભરમાં સૌથી વધુ 1,767 કોવિડ કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં કોવિડ કેસની સંખ્યા કરતા લગભગ બમણા છે.


દિલ્હીમાં કુલ કેટલા કેસ નોંધાયા?


બુધવારે દિલ્હીમાં કોવિડના 1,767 નવા કેસ નોંધાયા હતા, જ્યારે કોરોનાના ચેપને કારણે છ દર્દીઓના મોત થયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પરથી આ માહિતી મળી છે. વિભાગના આંકડા અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડથી વધુ છ લોકોના મૃત્યુ પછી અહીં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 26,578 થઈ ગઈ છે. મંગળવારે, દિલ્હીમાં કોવિડના 1,537 નવા કેસ નોંધાયા હતા.


મુંબઈમાં કેટલા કેસ નોંધાયા?


બુધવારે મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 1,100 નવા કેસ નોંધાયા હતા, જ્યારે કોરોનાના કારણે વધુ ચાર દર્દીઓના મોત થયા હતા. આરોગ્ય વિભાગે બુલેટિન જાહેર રીને આ માહિતી આપી છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 81,58,393 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ પામનારની કુલ સંખ્યા વધીને 1,48,489 થઈ ગઈ છે. રાજ્યમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 6,102 થઈ ગઈ છે.


આ પહેલા મંગળવારે રાજ્યમાં કોરોના વાયરસના 949 નવા કેસ નોંધાયા હતા જ્યારે છ દર્દીઓના મોત થયા હતા. બુધવારે મુંબઈમાં 234 નવા કેસ નોંધાયા હતા અને એક દર્દીનું મોત થયું હતું. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં 1,112 દર્દીઓના સ્વસ્થ થવા સાથે સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 80,03,802 થઈ ગઈ છે.


ચારધામ યાત્રાને લઈને સરકારી જાહેર કરી એડવાઈઝરી, આ નિયમોનું કરવું પડશે પાલન


Chardham Yatra Guidelines: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 22મી એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. આ સાથે જ હવામાન વિભાગે પહાડી વિસ્તારોમાં ખરાબ હવામાનને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે એડવાઈઝરી જારી કરી છે. આરોગ્ય વિભાગના સચિવ ડૉ. આર. રાજેશ કુમાર (ડૉ. આર. રાજેશ કુમાર) એ બુધવારે સ્વાસ્થ્ય સલાહકાર જારી કર્યો હતો.


કોવિડના નિયમોનું પાલન કરવાનું રહેશે


દેશના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. દરમિયાન રાજ્યમાં 22 એપ્રિલથી ચાર ધામ યાત્રા શરૂ થઈ રહી છે. આ દરમિયાન અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ યાત્રા માટે આવશે. તેથી, કોરોના ચેપને રોકવા માટે, યાત્રા પર આવતા યાત્રિકોએ કોવિડ અનુસાર વર્તનનું પાલન કરવું પડશે. જેમાં માસ્ક પહેરવા, સેનિટાઈઝર, કોવિડના લક્ષણોની તપાસ વગેરેનો સમાવેશ થાય છે