Covid-19 LIVE Updates: દિલ્હીમાં કોરોના વાયરસના 19166 નવા કેસ, 17 લોકોના મોત 

દેશમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે તેની ઝડપ બેકાબૂ બની ગઈ છે. કોરોના વાયરસના છેલ્લા 24 કલાક દરમિયાન 1 લાખ 79 હજાર 729 નવા કેસ નોંધાયા છે જ્યારે 146 લોકોએ જીવ ગુમાવ્યો છે.

gujarati.abplive.com Last Updated: 10 Jan 2022 07:25 PM
BJP અધ્યક્ષ જેપી નડ્ડા થયા કોરોના સંક્રમિત

મહારાષ્ટ્રમાં આજે 33,470 નવા કોવિડ કેસ, 29,671 રિકવરી અને 8 મૃત્યુ નોંધાયા છે.


COVID સેમ્પલના પરીક્ષણ માટે એડવાઈઝરી

બિહારમાં આજે રાજ્યમાં 4,737 નવા COVID19 કેસ નોંધાયા છે. સક્રિય કેસ 20,938 છે: બિહાર આરોગ્ય વિભાગ





કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈ થયા કોરોનાથી સંક્રમિત



ગુજરાત કોરોના વાયરસના કેસ

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સ્થિર થયા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6097  કેસ નોંધાયા છે. ગઈકાલે રાજ્યમાં 6275 કેસ નોંધાયા હતા.  બીજી તરફ 1539  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,25,702 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 95.09 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 2  મોત થયા. આજે  3,82,777 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

કર્ણાટકમાં કોરોના કેસ


 

કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 11,698 નવા કોવિડ કેસ,

કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 11,698 નવા કોવિડ કેસ, 1148 ડિસ્ચાર્જ અને 4 મૃત્યુ નોંધાયા


સક્રિય કેસ: 60,148
કુલ ડિસ્ચાર્જઃ 29,65,105
મૃત્યુઆંક: 38,374

તમિલનાડુમાં કોરોના વાયરસના કેસ

તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં 13,990 નવા કેસ, 2,547 રિકવરી અને 11 મૃત્યુ નોંધાયા છે. સક્રિય કેસ 62,767

દિલ્હી કોરોના કેસ


 

દિલ્હીમાં 19,166 નવા કોવિડ કેસ

દિલ્હીમાં 19,166 નવા કોવિડ કેસ, 14,076 રિકવરી અને 17 મૃત્યુ નોંધાયા છે


સક્રિય કેસ: 65,806
મૃત્યુઆંક: 25,177

બ્રેકગ્રાઉન્ડ

દેશમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે તેની ઝડપ બેકાબૂ બની ગઈ છે. કોરોના વાયરસના છેલ્લા 24 કલાક દરમિયાન 1 લાખ 79 હજાર 729 નવા કેસ નોંધાયા છે જ્યારે 146 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પછી દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 3 કરોડ 57 લાખ 7 હજાર 727 થઈ ગયા છે. જ્યારે, આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 4 લાખ 83 હજાર 936 થઈ ગયો છે. કોરોનાના નવા કેસ બાદ હવે સક્રિય કેસની સંખ્યા વધીને 7 લાખ 23 હજાર 619 થઈ ગઈ છે. જો કે, અત્યાર સુધીમાં 3 કરોડ 45 લાખ 172 લોકો કોરોના રોગચાળામાંથી સાજા થયા છે.


ઓમિક્રોનના વધતા જોખમ અને કોરોનાની બેકાબૂ ગતિ વચ્ચે રસીકરણ અભિયાન જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 151 કરોડ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારે દેશમાં કુલ 13 લાખ 52 હજાર 717 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એટલે કે ગઈકાલ સુધીમાં 69 કરોડ 15 લાખ 75 હજાર 352 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.