મુંબઈ:  મુંબઈમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે.  છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 11 હજાર 647 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 2 લોકોના સંક્રમણથી મોત થયા છે. એટલે કે સોમવારની સરખામણીએ મંગળવારે લગભગ બે હજાર ઓછા કેસ નોંધાયા છે. આ સિવાય મુંબઈમાં 14 હજાર 980 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.  સાજા થનારા લોકોની સંખ્યા નવા કેસ કરતા વધુ છે. આ મોટી રાહતની વાત છે.



6 જાન્યુઆરીએ મુંબઈમાં 20 હજાર 181 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. 7 જાન્યુઆરીએ 20 હજાર 971 કોરોનાના કેસ નોંધાયા હતા. તો 8 જાન્યુઆરીએ કોરોનાના 20 હજાર 318 કેસ નોંધાયા હતા. જ્યારે 9 જાન્યુઆરીએ આ સંખ્યા વીસ હજારથી થોડી ઘટીને 19 હજાર 474 થઈ ગઈ. આ પછી, ગઈકાલ 10 જાન્યુઆરીએ, કોરોનાના કેસની સંખ્યા ઘટીને 13 હજાર 648 થઈ ગઈ અને આજે 11 જાન્યુઆરીએ એટલે કે મંગળવારે, કોરોનાના નવા કેસ ઘટીને 11 હજાર 647 થઈ ગયા.


ગુજરાતમાં કોરોના વાયરસના કેસ



રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7476  કેસ નોંધાયા છે.  બીજી તરફ 2704  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,28,406 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 94.59 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  3 મોત થયા. આજે 3,30,074 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2861, સુરત કોર્પોરેશનમાં 1988,  વડોદરા   કોર્પોરેશનમાં 551,  રાજકોટ કોર્પોરેશનમાં 244,  વલસાડ 189, ભાવનગર કોર્પોરેશન 136, સુરત 136,  ગાંધીનગર કોર્પોરેશન 135, કચ્છ 121, મહેસાણા 108, ભરુચ 92, આણંદ 88, જામનગર કોર્પોરેશનમાં 82, રાજકોટ 75, ખેડા 71, નવસારી 69, મોરબી 57, સાબરકાંઠા 56, વડોદરા 55, ગાંધીનગર 47, જામનગર 47, અમદાવાદ 42, સુરેન્દ્રનગર 42, પંચમહાલ 24, જૂનાગઢ કોર્પોરેશન 23, અમરેલી 21, બનાસકાંઠા 21, મહીસાગર 20, ગીર સોમનાથ 19, ભાવનગર 16, દેવભૂમિ દ્વારકા 15, દાહોદ 9, નર્મદા 5, અરવલ્લી 3,  જૂનાગઢ 3, તાપી 3, ડાંગ 1, પોરબંદર  1 કેસ નોંધાયા છે. 


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 37238  કેસ છે. જે પૈકી 34 વેન્ટીલેટર પર છે, જ્યારે 37204 નાગરિકો સ્ટેબલ છે. 828406 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10132 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 3  મૃત્યુ થયા. વલસાડમાં 1,  સુરતમાં 1 અને પોરબંદરમાં 1 મોત થયું છે.