= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વરસાદ બંધ થયા પછી અમે વીજળી પુનઃસ્થાપિત કરીશું: મંત્રી સૂર્યવંશી ઓડિશાના મંત્રી સૂર્યવંશી સૂરજે તોફાન દાના વિશે જણાવ્યું હતું કે, પવનની ગતિ ધીમી પડી ગઈ છે. વરસાદ ચાલુ છે અને વરસાદ બંધ થયા પછી અમે વીજળી પુનઃસ્થાપિત કરીશું. અમારી પાસે પૂરતા થાંભલા છે અને આ માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
6,000 સગર્ભા મહિલાઓને આરોગ્ય કેન્દ્રોમાં મોકલવામાં આવી ઓડિશાના સીએમ મોહન ચરણ માઝીએ જણાવ્યું હતું કે વાવાઝોડું 24 અને 25 ઓક્ટોબરની રાત્રે ભીતરકણિકા અને ધામરા દરિયાકિનારા પર લેન્ડફોલ કર્યું હતું. આ પ્રક્રિયા આજે સવારે 7 વાગ્યા સુધી ચાલુ રહી હતી. વહીવટીતંત્રની સતર્કતા અને અગાઉથી કરેલી તૈયારીઓને કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. સરકારનો 'zero casualty'નો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો છે. લગભગ 6 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. "6,000 સગર્ભા મહિલાઓને આરોગ્ય કેન્દ્રોમાં મોકલવામાં આવી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આજે પણ 300 થી વધુ ટ્રેનો રદ પશ્ચિમ બંગાળ, ઓડિશા અને છત્તીસગઢમાંથી પસાર થતી 300 થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દાનાને કારણે મોટું નુકસાન દાના વાવાઝોડાને કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં ભારે નુકસાન થવાની આશંકા છે. ઓડિશામાં 10 લાખ અને પશ્ચિમ બંગાળમાં 3.5 લાખથી વધુ લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ઓડિશાના 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ IMD અનુસાર, વાવાઝોડાની અસર શુક્રવાર બપોર સુધી ચાલુ રહેશે, જે દરમિયાન પવનની ઝડપ 100-110 કિમી/કલાક રહેવાની ધારણા છે. હવામાન વિભાગે સાત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મયુરભંજ, કટક, જાજપુર, બાલાસોર, ભદ્રક, કેન્દ્રપારા અને જગતસિંહપુર જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી દાના વાવાઝોડાના આગમનથી, ઓડિશાના ઘણા વિસ્તારોમાં ભારે પવન અને ભારે વરસાદ ચાલુ છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બાંસડામાં ભારે તારાજી ચક્રવાત દાનાએ ઓડિશાના બંસડામાં ભારે વિનાશ સર્જ્યો છે. ચક્રવાતી વાવાઝોડું દાના ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારમાં ત્રાટકી રહ્યું છે.