ચક્રવાત 'મોન્થા' આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે કાકીનાડા નજીક લેન્ડફોલ થયું છે, જ્યાં પવનની ગતિ 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ અને જોરદાર પવન ચાલુ છે, જ્યારે ઉત્તર આંધ્રપ્રદેશમાં અચાનક પૂર અને એક મીટર સુધીના તોફાની મોજા આવવાની સંભાવના છે. તેથી વહીવટીતંત્રે લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે અને ઈમરજન્સી સેવાઓને ચેતવણી આપી છે.

Continues below advertisement

Continues below advertisement

ચક્રવાત 'મોન્થા' લેન્ડફોલ શરૂ થયો 

ચક્રવાત 'મોન્થા' લેન્ડફોલ શરૂ થયો છે અને આ પ્રક્રિયા આગામી 3 થી 4 કલાક સુધી ચાલુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આંધ્રપ્રદેશના કાકીનાડાની આસપાસ તોફાન કાંઠાને પાર કરી રહ્યું છે. પવનની ગતિ 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ અને ઊંચા મોજાનું જોખમ વધી શકે છે. વહીવટીતંત્રે લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે. 

ચક્રવાત 'મોન્થા'  

પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું તીવ્ર ચક્રવાતી વાવાઝોડું 'મોન્થા'  90 થી 100 કિલોમીટરની ઝડપે આંધ્ર કિનારા પર ત્રાટક્યું છે. તે આગામી ત્રણ કલાક સુધી ધીમે ધીમે આંધ્ર કિનારા પર આગળ વધશે. બુધવારે બપોરે, વાવાઝોડું મછલીપટ્ટનમથી લગભગ 100 કિલોમીટર અને કાકીનાડાથી 180 કિલોમીટર દૂર હતું. સાંજ સુધીમાં તે ગતિ પકડીને આંધ્ર કિનારાને સ્પર્શી ગયું હતું. થાઈ ભાષામાં "મોન્થા" નો અર્થ સુગંધિત ફૂલ થાય છે. પરંતુ આ સુગંધિત ફૂલ નથી, ખતરનાક વાવાઝોડું છે.

શું અસર થશે ? 

આ વાવાઝોડું આંધ્ર પ્રદેશના કાકીનાડામાંથી પસાર થશે. તેની અસરથી દક્ષિણ બંગાળના ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર, ઝારગ્રામ, પુરુલિયા, પૂર્વ અને પશ્ચિમ વર્ધમાન, બીરભૂમ અને મુર્શિદાબાદ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની ધારણા છે. શુક્રવારે દાર્જિલિંગ, કાલિમપોંગ, જલપાઇગુડી, અલીપુરદુઆર અને કૂચબિહાર જેવા ઉપ-હિમાલયી જિલ્લાઓમાં એક કે બે સ્થળોએ ખૂબ જ ભારે વરસાદ (7 થી 20 સેમી) થવાની સંભાવના છે. 

 32 ફ્લાઇટ્સ રદ કરાઈ

દક્ષિણ મધ્ય રેલવે ઝોનની કુલ 120 ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત, વિશાખાપટ્ટનમ એરપોર્ટથી બધી 32 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. વિજયવાડા એરપોર્ટથી 16 ફ્લાઇટ્સ અને તિરુપતિ એરપોર્ટથી ચાર ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.