નવી દિલ્હીઃ નરક અને સ્વર્ગની વાત દરેક ધર્મમાં બતાવવામાં આવી છે, કહેવામાં આવે છે કે, પોતાના કર્મોના હિસાબે તમને નરક અને સ્વર્ગ મળે છે. જોકે આ તમારા મર્યા બાદ જ દેખાય છે. એટલા માટે જો કોઇ જીવતો વ્યક્તિ આના વિશે બતાવે છે તો લોકો વિશ્વાસ નથી કરતો, પરંતુ જો અમે તમને કહીએ કે આ વખતે નરકના વિશે એવા વ્યક્તિએ બતાવ્યુ છે, જે મરીને જીવતો થયો છે, ત્યારે તમે શું કહેશો. અમે અહીં કોઇ ફિલ્મી કહાણીની વાત નથી કરી રહ્યાં, પરંતુ એક પુરેપુરી રીતે સત્ય છે. યૂનીલેન્ડના એક રિપોર્ટ અનુસાર, ટિકટૉકના એક વીડિયોમાં એક ડૉક્ટર કહેતો દેખાઇ રહ્યો છે કે, તેને એક વ્યક્તિએ નરક વિશે બતાવ્યુ છે. ખાસ વાત એ છે કે, આ વ્યક્તિ પહેલા મરી ચૂક્યો હતો, અને મર્યા બાદના ચાર કલાક બાદ તે અચાનક જીવતો થઇ ગયો અને તેને ડૉક્ટરોને આ કહાણી બતાવી. 


નરકમાં દેખાયા શૈતાન  -
દરેક ધર્મમાં નરક અને સ્વર્ગને લઇને જે કહાણી પ્રચલિત છે, તે અનુસાર, નરકમાં ખરાબ કર્મો કરનારાઓને મોકલવામાં આવે છે, જ્યાં તેને સજા મળે છે, અને ત્યાં દરેક બાજુ શૈતાન રહે છે. દુઃખ હોય છે, દર્દ હોય છે. આ વ્યક્તિએ પણ કંઇક આવુ જ બતાવ્યુ હતુ. યૂનીલેન્ડના રિપોર્ટ અનુસાર, ટિકટૉક પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ડૉક્ટર એ કહી રહ્યો છે કે તે વ્યક્તિએ બતાવ્યુ કે તે નરકમાંથી પાછો આવ્યો છે અને ત્યાં જઇને તેને શૈતાનને જોયા છે.


મર્યા બાદ જીવતો થયો વ્યક્તિ - 
ડૉક્ટર પોતાના આ વીડિયોમાં કહેતો સંભળાઇ રહ્યો છે કે, તેની શરૂઆતની કેરિયરના સમયમાં તેને એક વ્યક્તિ મળ્યો હતો, જેને હ્રદયમાં એક છરો ખોસી દેવામાં આવ્યો હતો. ડૉક્ટરે તેને સર્જરી માટે લઇને આવ્યા, તેની સારવાર કરીને બચાવવાનો પુરેપુરો પ્રયાસ કરવામાં આવ્યો, અને તે વ્યક્તિ મરી ગયો. પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યાના 4 કલાક પછી તે વ્યક્તિ ફરીથી જીવતો થયો, અને તેને ડૉક્ટરોને કહ્યું કે તે નરકમાં ગયો હતો, અને ત્યાંથી તે શૈતાનને મળીને પાછો આવ્યો છે. ડૉક્ટરોએ બતાવ્યું કે તે શખ્સ જે ભાવથી આ બધી વાતો બતાવી રહ્યો હતો, તેનાથી તે સ્પષ્ટ છે કે તે જુઠ્ઠુ ન હતો બોલી રહ્યો.