ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં કેજરીવાલ સરકારે હોટલ અને સાપ્તાહિક બજાર ખોલવાની મજૂરી આપી હતી. સાત સપ્ટેમ્બરથી મેટ્રો સેવાઓ પણ શરૂ કરવામાં આવી રહી છે.
માર્ચ મહીનામાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા બાદ દેશભરમાં ભીડભાડવાળી જગ્યાઓને બંધ કરી દેવામાં આવી હતી. હવે આર્થિક ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. દિલ્હીમાં પણ કોરોના કેસની સંખ્યા વધી રહી છે. જો કે, સરકારે આર્થિક પ્રવૃત્તિઓ ખોલવા માટે વર્ગીકૃત અભિગમ અપનાવ્યો છે. હવે કેંદ્ર ફરીથી દિલ્હી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.