દિલ્હી વિધાનસભામાં નાણામંત્રી દ્ધારા બજેટ રદૂ કર્યા બાદ બજેટ પર ચર્ચા થશે નહીં. બજેટ સત્રમાં એલજીનું અભિભાષણ પર પણ ચર્ચા થશે નહીં.. દિલ્હી સરકારનું વર્ષ 2019-20 માટે 60 હજાર કરોડ રૂપિયાનું બજેટ હતું આ વર્ષે તેમાં લગભગ 10 ટકાનો વધારો કરવામાં આવી શકે છે.
દિલ્હી વિધાનસભામાં વિપક્ષ નેતા રામવીર સિંહ બિધૂડીએ બજેટ સત્રમાં પ્રશ્નકાળ ન હોવા પર દિલ્હી સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. બિધૂડીએ કહ્યું કે, દિલ્હી સરકાર લોકતંત્રનું ગળું દબાવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ દેશનું એકમાત્ર એવું ગૃહ હશે જ્યાં બજેટ પર ચર્ચા થઇ રહી નથી.