સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, શનિવાર સુધી દિલ્હીમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 17,386 થઈ ગઈ છે. જેમાંથી 7846 લોકો સારવાર લીધા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 398 લોકોના સંક્રમણના કારણે મોત થયા છે.
દેશમાં કોરોના પીડિતોની સંખ્યા 1 લાખ 73 હજાર 763 થઈ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,73,763 પર પહોંચી છે. 4971 લોકોના મોત થયા છે અને 82,370 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 86,422 એક્ટિવ કેસ છે.