દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે ટ્વિટરને તેના પ્લેટફોર્મ પરથી હિંદુ દેવી-દેવતાઓ સાથે સંબંધિત કેટલીક વાંધાજનક પોસ્ટ દૂર કરવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયા દિગ્ગજ કંપની લોકોની ભાવનાઓનું સન્માન કરશે કારણ કે તે તેમની સાથે સંબંધિત વ્યવસાય કરે છે. કોર્ટનું કહેવું છે કે ટ્વિટર સારું કામ કરી રહ્યું છે અને લોકો તેનાથી ખુશ છે.


ચીફ જસ્ટિસ ડીએન પટેલ અને જસ્ટિસ જ્યોતિ સિંહની બેન્ચે ટ્વિટરના વકીલને પૂછ્યું કે, 'કન્ટેન્ટ હટાવવામાં આવી રહ્યું છે કે નહીં? તમારે સામાન્ય લોકોની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ કારણ કે તમે મોટા પ્રમાણમાં લોકો સાથે સંબંધિત વ્યવસાય કરી રહ્યા છો. તેમની લાગણીઓને યોગ્ય મહત્વ આપવું જોઈએ. તમારે તેને દૂર કરવું જોઈએ.' આ મામલે જજની બેન્ચે કહ્યું, 'તમે તેને હટાવો. રાહુલ ગાંધીના કિસ્સામાં પણ તમે આવું જ કર્યું છે.


ટ્વિટર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાએ કહ્યું કે કોર્ટ પોતાના આદેશમાં આ વાતનો ઉલ્લેખ કરી શકે છે અને તેઓ આ નિર્દેશનું પાલન કરશે. કોર્ટે આ જ મામલાની આગામી સુનાવણી 30 નવેમ્બરે નિયત કરી છે.


અરજીકર્તા આદિત્ય સિંહ દેશવાલે કહ્યું કે તેમને મા કાલી વિશે ટ્વિટર યુઝર દ્વારા શેર કરવામાં આવી રહેલી કેટલીક અત્યંત વાંધાજનક સામગ્રી વિશે જાણ થઈ જેમાં દેવીને અપમાનજનક રીતે દર્શાવવામાં આવ્યા છે. અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સંજય પોદ્દારે કહ્યું કે તેમણે ટ્વિટરના ફરિયાદ અધિકારીને જાણ કરી અને સંબંધિત નિયમો હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી. તેમણે દાવો કર્યો હતો કે ટ્વિટર આ વાતનો ઈનકાર કરતા કહ્યું   સંબંધિત એકાઉન્ટની આ સામગ્રી એ કેટેગરીની નથી જેના પર કાર્યવાહી કરવામાં આવશે અને તેથી તેને દૂર કરી શકાતી નથી.


પિટિશનમાં ટ્વિટરને તેના પ્લેટફોર્મ પરથી આ વાંધાજનક સામગ્રીને હટાવવા અને સંબંધિત એકાઉન્ટને કાયમી ધોરણે બંધ કરવા માટે નિર્દેશિત કરવા વિનંતી કરવામાં આવી છે.