કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે સુરતમાં મહત્વાકાંક્ષી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેની નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી. તેમણે પુનરોચ્ચાર કર્યો કે 1,350 કિલોમીટરના પ્રોજેક્ટને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પીટીઆઈ અનુસાર, એક્સપ્રેસવે કાર્યરત થયા પછી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય હાલના આશરે 24 કલાકથી ઘટીને માત્ર 12 કલાક થઈ જશે.

Continues below advertisement

બધા અવરોધો દૂર કરવામાં આવશે અને પ્રોજેક્ટ ટૂંક સમયમાં પૂર્ણ થશે

સુરતમાં નિર્માણાધીન સેક્શનનું નિરીક્ષણ કર્યા પછી કેંદ્રીય મંત્રી નીતિન ગડકરીએ મીડિયાને જણાવ્યું હતું કે રસ્તાનું બાંધકામ ઉચ્ચ ગુણવત્તાનું છે અને તમામ નાની ખામીઓને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને દૂર કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું, "અમે તમામ અવરોધો દૂર કરીને શક્ય તેટલી વહેલી તકે પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ." આઠ લેન એક્સપ્રેસવેની ગુણવત્તાનું એકદમ કડક  પરીક્ષણ ચાલી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, પર્યાવરણીય બાબતોને ધ્યાનમાં રાખીને રસ્તાની બંને બાજુ વ્યાપક વૃક્ષારોપણ કરવામાં આવશે.

Continues below advertisement

ઇલેક્ટ્રિક હાઇવે અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો

નીતિન ગડકરીએ આ એક્સપ્રેસવે માટે એક વિઝન શેર કર્યું, જે દેશના અર્થતંત્ર માટે ગેમ-ચેન્જર બની શકે છે. તેમણે કહ્યું, "ભવિષ્યમાં, મારું સ્વપ્ન છે કે આ રસ્તા પર ઇલેક્ટ્રિક ટ્રક અને બસો દોડે.  અમે તેમાં વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજીનો સમાવેશ કરી રહ્યા છીએ, જેનો મુખ્ય ધ્યેય લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાનો છે." તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે એકવાર પૂર્ણ થયા પછી, આ રસ્તો નિકાસ, પર્યટન અને જાહેર મુસાફરીને અભૂતપૂર્વ પ્રોત્સાહન આપશે.

ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનથી કનેક્ટિવિટી 

આ એક્સપ્રેસવે, જેનો શિલાન્યાસ 2019 માં કરવામાં આવ્યો હતો તે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સાથે પણ જોડાશે જેથી એક વ્યાપક નેટવર્ક બનાવવામાં આવે, જે આ રાજ્યોથી દિલ્હી અને મુંબઈ સુધી સીધી કનેક્ટિવિટીને સરળ બનાવશે. ગડકરીએ પ્રોજેક્ટના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે તે દેશના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ રસ્તો છે. વિશ્વમાં બહુ ઓછા હાઇવેમાં આટલી લંબાઈ અને પહોળાઈ છે. ઇજનેરો, કોન્ટ્રાક્ટરો અને રાજ્ય સરકારના સહયોગથી અમે લગભગ અંતિમ તબક્કામાં છીએ."