Corona cases in Delhi: છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાથી 43 લોકોના મોત, જાણો કેટલા નવા કેસ નોંધાયા?
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 12306 નવા કેસ સામે આવ્યા છે
gujarati.abplive.com Last Updated: 20 Jan 2022 09:37 PM
બ્રેકગ્રાઉન્ડ
Covid Cases in Delhi: દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 12306 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાથી 43 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોના...More
Covid Cases in Delhi: દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 12306 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાથી 43 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોના સંક્રમણ દર 21.48 ટકા છે. કોરોનાના દર્દીઓના મોતના આંકડા ટેન્શન વધાર્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી દિલ્હીમાં 43 દર્દીઓના મોત થયા છે. એવામાં 10 જૂન બાદ એક દિવસમાં સૌથી વધુ મોત થયા છે. 10 જૂનના રોજ 44 દર્દીઓના મોત થયા હતા. દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 68,730 છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
હવે દિલ્હીમાં 300 રૂપિયામાં થશે RT PCR ટેસ્ટ
દિલ્હી સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે કોરોનાના ટેસ્ટની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીની તમામ હોસ્પિટલ અને પેથોલોજી લેબમાં આરટી-પીસીઆર ટેસ્ટ અગાઉની સરખામણીએ ઓછી કિંમત પર કરવામાં આવશે. હવે દિલ્હીમાં આરટીસીપીઆર ટેસ્ટ કરવા માટે ફક્ત 300 રૂપિયા આપવા પડશે. અગાઉ દિલ્હીમાં આરટીપીસીઆર માટે 500 રૂપિયા ચૂકવવા પડતા હતા.