Air India Flight Emergency Landing: દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને મંગળવારે (6 જૂન)ના રોજ એન્જિનની ખામીને કારણે રશિયાના મગદાન તરફ વાળવામાં આવી હતી. એર ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે ફ્લાઈટનું રશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં સવાર તમામ 216 મુસાફરો અને 16 ક્રૂ મેમ્બર સુરક્ષિત છે.
 
એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI173ના એક એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. 216 મુસાફરો અને 16 ક્રૂ સાથેની ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી હતી અને રશિયાના મગદાન એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી.





 
પ્લેનની તપાસ કરી રહ્યા છીએ
 
એરલાઈને જણાવ્યું હતું કે તે 7 જૂને મગદાનથી સાન ફ્રાન્સિસ્કોની વૈકલ્પિક ફ્લાઇટનું સંચાલન કરશે, જેમાં તમામ AI173 મુસાફરો અને ક્રૂ જેઓ હાલમાં મગદાનની સ્થાનિક હોટલોમાં રોકાયા છે તેમને લઈ જશે. મુસાફરો વહેલામાં વહેલી તકે સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાને પહોંચે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓ અમારા પ્રયાસમાં તમામ સહકાર આપી રહ્યા છે. એરક્રાફ્ટનું  ગ્રાઉન્ડ પર  ચેકિંગ ચાલુ છે.
 
ઈન્ડિગો ફ્લાઈટમાં પણ સમસ્યા થઈ હતી
 
તાજેતરમાં ફ્લાઇટ્સમાં ખામીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. બે દિવસ પહેલા ટેક્નિકલ સમસ્યાને કારણે ડિબ્રુગઢ જતી ઈન્ડિગો ફ્લાઈટને ગુવાહાટીના લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. કેન્દ્રીય મંત્રી રામેશ્વર તેલી સહિત ઘણા ધારાસભ્યો પણ આ ફ્લાઈટમાં સવાર હતા.
 
ઈન્ડિગોએ આ ઘટના સંદર્ભે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે પાઈલટે વિમાનના એન્જિનમાં ખામી હોવાની જાહેરાત કર્યા બાદ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલી અને ભાજપના બે ધારાસભ્યો પ્રશાંત ફુકન અને તેરાશ ગોવાલા સહિત 150 મુસાફરો હતા. આ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.